જો વાત કરવામાં આવે તો રોકાણ અને બચતની તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાસે આ મામલામાં બતાવવા માટે કંઇ વધારે નથી. પરંતુ થોડી ઘણી બચત માટે, તેમણે પોસ્ટ ઑફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર વિશ્વાસ બતાવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનામાં કર્યુ છે રોકાણ
નેશનલ સેવિંગ સ્કીમમાં મળશે FD કરતા વધારે વ્યાજ
ગત વર્ષે સપ્ટેમ્બર મહિમામાં પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવનારી જાણકારી અનુસાર, PM નરેન્દ્ર મોદીએ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ માં 5 લાખની આસપાસ રોકાણ કર્યુ છે. આ જ અઠવાડિયામાં કેન્દ્ર સરકારે સ્મોલ સેવિંગ સ્કીમ્સ માટે વ્યાજ દરોમાં કોઇ બદલાવ નહી કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયનો મતલબ એ છે કે ઓક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસિક માટે સ્મૉલ સેવિંગ્સ સ્કીમ્સ પર વ્યાજ દર ગત ત્રિમાકિસની જેમ જ હશે, જે 7.9% હતા.
FD થી સારો વિકલ્પ:
5 વર્ષની અવધિવાળી ફિકસ્ડ ડિપોઝિટ પર મળતુ વ્યાજ નેશનલ સેવિંગ સર્ટિફિકેટની સરખામણીએ ઓછું હોય છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા 5 વર્ષના સમયગાળા માટેની FD પર 6.25% થી વ્યાજ દર આપે છે. પ્રાઇવેટ સેક્ટરમાં HDFC Bank આટલા જ સમયગાળા માટે FD પર 6.9% વ્યાજ આપે છે. એવામાં જો તમે SBI માં 5 વર્ષ માટે 1 લાખ રૂપિયાની FD કરો છો તો તમને 1.35 લાખ રૂપિયા મળશે, જ્યારે HDFC બેંકમાં 1.39 લાખ રૂપિયા મળશે. તો બીજી તરફ નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં 1 લાખ રૂપિયાના રોકાણ પર તમને 5 વર્ષની વાત કરવામાં આવે તો 1.46 લાખ રૂપિયા મળશે. જો 2 લાખ રૂપિયાના રોકાણ પર તમને 2.92 લાખ રૂપિયા મળશે.
તમે કોઇ પણ પોસ્ટ ઑફિસમાંથી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) લઇ શકો છો.
કોણ કરી શકશે રોકાણ:
ઇન્ડિયા પોસ્ટ અનુસાર એક 18 વર્ષની ઉંમરનો વ્યક્તિ પોતે અથવા માઇનર વ્યક્તિ તરફથી NSCમાં રોકાણ કરી શકે છે.
મેચ્યોરિટી પીરિયડ:
NSC માં રોકાણ કરવા માટે ન્યૂનતમ 100 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. જો તમે 100 રૂપિયાની NSC ખરીદો છો તો 5 વર્ષ બાદ મેચ્યોરિટી પર NSC 146.93 રૂપિયા આપશે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટનો લોક ઇન પીરિયડ 5 વર્ષનો છે.
ઇન્કમ ટેક્સ બેનિફિટ:
નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં તમે જે પણ પૈસા રોકાણ કરો છો ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80 હેઠળ તેના પર તમે ટેક્સ છૂટ ક્લેમ કરી શકો છો. એક ફાયનાન્શિયલ ઇયરમાં એનએસસીમાં તમે મહત્તમ 1.5 લાખ રૂપિયા રોકાણ કરી ટેક્સ છૂટ ક્લેમ કરી શકો છો.