આપણે સૌ આર્થિક રીતે સમૃદ્ધ થવા અને સાથે જ આવનારી મુશ્કેલીઓ અને બાળકોના ભવિષ્યને સિક્યોર કરવા જેવી બાબતોને લઈને અનેક પ્રકારના ઈન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. આ ઈન્વેસ્ટમેન્ટ યોગ્ય રીતે કરાય તો તમે અનેક વખત નાણાંકીય સંકટથી બચી શકો છો. તમારી સાથે બાળકોના ભવિષ્યને સિક્યોર કરવા માટે તમે આ 3 સ્કીમમાં રોકાણ કરી શકો છો. તેનાથી તમારા બાળકને ક્યારેય રૂપિયાની ખોટ રહેશે નહીં.
આર્થિક સંકટથી બચાવશે આ 3 સ્કીમ
બાળકો માટે રોકાણ માટે બેસ્ટ છે આ સ્કીમ
આ રીતે કરો સાવધાની સાથે રોકાણ
જ્યારે તમે બાળકો માટે રોકાણ કરો છો ત્યારે તમારે થોડી ખાસ સાવધાની રાખવાની રહે છે. આડેધડ નિર્ણય લેવાના બદલે શાંત મનથી પ્લાનિંગ કરશો તો આવનારા સમયમાં બાળકની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકશો. આજે અમે આપને ખાસ વિકલ્પ બતાવી રહ્યા છે જેનાથી ભવિષ્યમાં બાળકોની જરૂરિયાતો પૂરી થઈ શકશે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF)
PPFની મદદથી તમે બાળકો માટે સારું ભવિષ્ય ફંડ એકઠું કરી શકો છો. PPF પારંપરિક અને લોકપ્રિય માધ્યમ છે. બાળકના નામે PPF ખાતું તેમના માતા, પિતા ખોલાવી શકે છે. 18 વર્ષથી નાની ઉંમરના બાળકોના PPF એકાઉન્ટ ખોલી શકાય છે. અત્યારે તેનો વ્યાજદર 7.1 ટકા છે. પીપીએફ ખાતાનો મેચ્યોરીટી સમય 15 વર્ષનો છે. અહીં તમે વર્ષે 1.50 લાખનું રોકાણ કરી શકો છો. આનાથી વધારે રકમ રોકી શકો છો પણ તેની પર વ્યાજ મળતું નથી. જો તમારે 2 બાળકો છે તો તમે અલગ અલગ PPF ખાતું ખોલીને 3 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. 15 વર્ષ બાદ ખાતામાંથી આખી રકમ એકસાથે કાઢી શકો છો. આ પછી 5-5 વર્ષ માટે તેને વધારી શકો છો.
ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ (ETF)
ETF કોઈ પણ અન્ય રોકાણ વિકલ્પની સરખામણીએ લોન્ગ ટર્મમાં વધારે રિટર્ન આપે છે. મ્યુચ્યુઅલ ફંડમાં તમે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનની મદદથી કિસ્તમાં રોકાણ કરી શકો છો. જો તમે પ્રોફેશનલ સલાહકારની મદદ લો છો તો મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમય સુધી રોકાણમથી લાભની શક્યતા વધે છે. બાળકની જરૂરિયાત માટે જો 10 વર્ષ બાદ પણ રૂપિયાની જરૂર છે તો રોકાણ લાર્જકેપ ફંડમાં કરી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
આ યોજનાના આધારે 10 વર્ષની ઉંમર સુધીની દીકરીના માતા પિતા કે કાનૂની માતાપિતા આ ખાતું ખોલાવી શકે છે. SSY ખાતું કોઈ પણ સરકારી બેંક અને પોસ્ટ ઓફિસ બ્રાંચમાં ખોલી શકાય છે. અત્યારે તેનો વ્યાજ દર 7.6 ટકા છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવી શકાય છે. યોજનાના આધારે વાર્ષિક વધારેમાં વધારે 1.50 લાખ રૂપિયા જમા કરી શકાય છે. આ યોજનાને ટેક્સમાં 80સીમાં ટેક્સ છૂટનો લાભ મળે છે. ખાતું ખોલ્યાના 15 વર્ષ પૂરા થતાં સુધી અહીં રોકાણ કરવાનું રહે છે. પણ ખાતાના 21 વર્ષ પૂરા થશે ત્યારે ખાતું મેચ્યોર થશે. 15 વર્ષ પૂરા કર્યા બાદ 21 વર્ષ સુધી એ ખાતમાં તે સમયના વ્યાજદરના આધારે રૂપિયા જોડાતા રહેશે.