પોતાના બજેટ ભાષણમાં કાર્યવાહક નાણામંત્રી પીયૂષ ગોયલે અસંગઠિત ક્ષેત્રના મજૂર વર્ગ માટે એક નવી યોજના માટે જાહેરાત કરી. આ યોજનાને સરકારે 'પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન' નામ રાખ્યું છે. જે હેઠળ મજૂર વર્ગને દર મહિને 3 હજાર પેન્શનના રૂપમાં આપવાની જોગવાઇ છે. આ યોજનાનો લાભ 15 હજાર પ્રતિ મહિનાની કમાણી કરનાર મજૂર ઊઠાવી શકે છે. કેન્દ્ર સરકારની આ સ્કીમથી આશરે 42 કરોડ લોકોને સીધી રીતે ફાયદો મળશે.
55 રૂપિયાના રોકાણથી વર્ષના મળી શકે છે 36 હજાર
સરકારની આ સ્કીમમાં 15 હજાર રૂપિયા સુધીના માસિક સ્કીમ વાળા મજૂરોને લાભ મળશે. આ યોજના હેઠળ વાર્ષિક રીતે અસંગઠિત ક્ષેત્રાન લોકોને 36 હજાર રૂપિયા મળશે. આ પેન્શન એમને 60 વર્ષની ઉંમર બાદ મળશે.
એના માટે તમારે વર્કિંગ એજમાં થોડાક પૈસા જમા કરવા પડશે. આ યોજના હેઠળ જો તમે 29 વર્ષની ઉંમરમાં જ દર મહિને 100 રૂપિયા 60 વર્ષની ઉંમર સુધી જમા કરવા પડશે. એવી જ રીતે જો તમે 18 વર્ષની ઉંમરમાં દર મહિને 55 રૂપિયા જમા કરો છો તો પણ આ યોજનાનો લાભ લઇ શકો છો.
અટલ પેન્શન યોજનાથી કેવી રીતે અલગ છે આ યોજના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફ્લેગશિપ યોજના 'અટલ પેન્શન યોજના'થી સરખામણી કરીએ તો એ હેઠળ દર મહિને ખાતાધારકને 126 રૂપિયા જમા કરવાના હોય છે. આ 126 રૂપિયા તમને 18 વર્ષની ઉંમરમાં જમા કરવા પડશે. 29 વર્ષની ઉંમરથી એટલ પેન્શન યોજના હેઠળ પૈસા જમા કરવાની વાત કરીએ તો એના માટે તમારે દરમહિને 318 જમા કરવા પડશે. ત્યારબાદ જ તમને 60 વર્ષની ઉંમર બાદ 3 હજાર રૂપિયા પ્રતિ મહિના પેન્શન તરીકે મળશે. પરંતુ અટલ પેન્શન યોજનાની એક ખાસ વાત એ છે કે એમાં તમે 5 હજાર રૂપિયા પ્રતિ મહિના મેળવવા માટે રોકાણ કરી શકો છો. સરકારની નવી સ્કીમ હેઠળ તમને આ સુવિધા મળતી નથી.
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના માટે ગોયલે કહ્યું સરકાર દરેક મજૂર માટે એક સમાન પૈસા જમા કરશે. સાથે જ ગોયલે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ દુનિયાની સૌથી મોટી પેન્શન સ્કીમ બની શકે છે.
એને અસંગઠિત ક્ષેત્રના 10 કરોડ લોકોને ફાયદો મળશે. નાણામંત્રી એ પોતાના ભાષણમાં કહ્યું હતું કે એના માટે 500 કરોડ રૂપિયા સરકારને આવંટિત કરી દીધા છે. ભવિષ્યમાં જરૂરીયાત પ્રમાણે વધારાની રકમ પણ પ્રદાન કરવામાં આવશે. આ સ્કીમને નાણાંકીય વર્ષથી લાગૂ કરવામાં આવશે.