આજે કરનાલમાં ખેડૂત મહાપંચાયત થઈ રહી છે જેને પગલે સરકારે કરનાલ અને તેની આસપાસના જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.
ખેડૂતોએ કરનાલમાં 7 સપ્ટેમ્બરે મહાપંચાયત બોલાવી
મોબાઈલ ઈન્ટરેનેટ સેવાઓ બંધ કરી દેવાઈ
પ્રદર્શન રોકવા કલમ 144 લગાવાઈ
ખેડૂતોએ કરનાલમાં 7 સપ્ટેમ્બરે મહાપંચાયત બોલાવી
ખેડૂતો કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂત અનેક જગ્યાઓ પર ખેડૂત મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે. ખેડૂતો હરિયાણાના કરનાલમાં 7 સપ્ટેમ્બરે મહાપંચાયત બોલાવી છે. જો કે આની પહેલા કરનાલ અને તેની આસપાસના ચાર જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ગૃહ વિભાગ તરફથી જારી આદેશ અનુસાર આ જિલ્લામાં મોબાઈલ ઈન્ટરેનેટ સેવાઓ સોમવારે બપોરે 12.30 વાગ્યાથી લઈને મંગળવારે અડધી રાત સુધી બંધ રહેશે.
મોબાઈલ ઈન્ટરેનેટ સેવાઓ બંધ કરી દેવાઈ
કરનાલ જિલ્લામાં શાંતિ અને સાર્વજનિક વ્યવસ્થાની કોઈ પણ ગડબડીને રોકવા માટે જારી કરવામાં આવેલા આદેશમાં રહેવામાં આવ્યું છે કે મોબાઈલ ઈન્ટનેટ સેવાઓ એસએમએસ સેવા, ડોંગલ સેવા પ્રતિબંધિત રહેશે. આદેશમાં રહેવામાં આવ્યું છે કે ... અને જિલ્લાધિકારી કરનાલ દ્વારા 6 સપ્ટેમ્બરથી અમલમાં લાવવામાં આવ્યું છે કે 7 સપ્ટેમ્બરે ખેડૂત મહાપંચાયતને આહ્વાનને ધ્યાનમાં રાખીને કરનાલ જિલ્લામાં લોક સુરક્ષા અને કાયદા વ્યવસ્થા પર પ્રતિકુળ પ્રભાવ પડી શકે છે તથા વિરોધના તેજ થવાના આસાર છે.
જાણો કેમ બંધ કરી ઈન્ટરનેટ સેવા
આદેશ અનુસાર ઉશ્કેરણીજનક સામગ્રી અને જૂઠી અફવાહ ફેલાવી ઈન્ટરનેટ સેવાઓનો દુરઉપયોગના કારણે કરનાલ જિલ્લામાં સાર્વજનિક ઉપયોગીતા અને સુરક્ષા, સાર્વજનિક , સંપત્તિ અને સુવિધાઓ તથા કાયદા વ્યવસ્થા પર અસર પડવાની સ્પષ્ટ આશંકા છે. મોબાઈલે સેવા ઈન્ટરેનેટ સેવાઓ, એસએમએસ સેવાઓ અને અન્ય ડોંગલ સેવાઓ પર સોશિયલ મીડિયા તથા મેસેજિંગ સેવાઓના માધ્યમથી જનતાની વચ્ચે મોકલી શકાય છે.
પ્રદર્શન રોકવા કલમ 144 લગાવાઈ
આદેશમાં કહેવામાં આવ્યું છે કે મોબાઈલ ફોન અને એસએમએસ પર વ્હોટ્સએપ, ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા મંચોના માધ્યમથી ખોટી માહિતી અને અફવાહોના પ્રસાર પર કાબૂ માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓને રદ્દ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે હરિયાણાના તમામ દૂરસંચાર સેવા પ્રદાતાઓને આદેશનું પાલન સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. આ પહેલા કરનાલમાં મંગળવારે લધુ સચિવાલયના ઘેરાવ કરવાના ખેડૂતોના કાર્યક્રમના એક દિવસ પહેલા પ્રશાસને સોમવારે લોકોને ભેગા થતા પહેલા પ્રતિબંધ લગાવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે જિલ્લા પ્રશાસને દંડ પ્રક્રિયા સંહિત (સીઆરપીસી)ની કલમ 144 અંતર્ગત નિષેઘાજ્ઞા લાગૂ કરી પાંચ અથવા તેનાથી વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.