યુપીના મુઝફ્ફરનગર બાદ હરિયાણાના કરનાલમાં ખેડૂતોએ મહાપંચાયત કરી હતી. પરંતુ સાડા ચાર વાગ્યે ખેડૂતો અને તંત્ર વચ્ચેની મંત્રણા નિષ્ફળ નીવડી છે.
યુપીના મુઝફ્ફરનગર બાદ હરિયાણાના કરનાલમાં ખેડૂતોની મહાપંચાયત
ખેડૂતો અને તંત્ર વચ્ચેની મંત્રણા નિષ્ફળ નીવડી
ખેડૂતોએ કરનાલ મિનિ સચિવાલય તરફ આગેકૂચ કરી
હરિયાણા સરકાર એક્શન મોડમાં
ખેડૂતો પર લાઠીચાર્જના વિરોધમાં મહાપંચાયત બોલાવાઈ
વહિવટી તંત્ર સાથેની મંત્રણા નિષ્ફળ જતા દેખાવકાર ખેડૂતોએ કરનાલ મિનિ સચિવાલય તરફ આગેકૂચ કરી હતી. દેખાવકારોએ અનિશ્ચિત કાળ સુધી સચિવાલયને ઘેરાબંધી કરતા હરિયાણા સરકાર એક્શન મોડમાં આવી છે.
રાજ્ય સરકારે 5 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી
રાજ્ય સરકારે 5 જિલ્લામાં તમામ મોબાઈલ કંપનીઓના ઈન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવાઓ બંધી કરી દીધી છે. જે જિલ્લાઓમાં સેવાઓ બંધ કરાઈ છે તેમાં કરનાલની ઉપરાંત, કુરુક્ષેત્ર, કૈથલ, પાણીપત અને જિંદ સામેલ છે.
કરનાલમાં કેન્દ્રીય અર્ધસૈનિક બળોની 10 કંપનીઓ સહિત સુરક્ષા દળોની 40 કંપનીઓને પણ તહેનાત કરી દેવાઈ છે.
ભારતીય કિસાન સંઘના મહાસચિવ બદ્રીનારાયણ ચોધરીએ જણાવ્યું કે તમામ ખેડૂતોને એક સમાન લાભદાયક ભાવની માગણીએ 8 સપ્ટેમ્બરે દેશના તમામ જિલ્લામાં પ્રદર્શન કરવામાં આવશે. સરકારે ખેડૂત આંદોલન પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે પાક ઉગાડવામાં ખેડૂતોને જે ખર્ચ આવે છે તેને જાળવી રાખવા જોઈએ. સરકારે ખેડૂતોને એવા ભાવ આપવા જોઈએ કે જેનાથી તેને લાભ થાય અથવા તો અમને જણાવે કે અમારી માગ શા માટે ખોટી છે.