મહારાષ્ટ્રમાં ફરી અનામત મામલે મરાઠાઓ રસ્તા પર ઉતર્યા છે. દર વખતે શાંતિથી અનામત માટે અપીલ કરતા મરાઠા આંદોલને આ વખતે હિંસક રૂપ ધારણ કર્યું છે. આંદોલનકારીઓએ ઘણા વાહનોમાં આગ લગાવી દીધી. તો રસ્તા પર ધરણા કર્યા હતા. હિંસક ઘટનાઓને લઇને ઔરંગાબાદમાં ઇન્ટનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે એક શખ્સે અનામતની માગ સાથે ગોદાવરી નદીમાં ઝંપલાવી દીધું અને ત્યાર બાદ મામલો ઉગ્ર બન્યો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસના વલણથી પણ લોકો નારાજ છે. ફડણવીસ સરકારે 72 હજાર નોકરીઓમાં મરાઠાઓને 16 ટકા અનામત આપવાની વાત કરી હતી.
Maharashtra: Maratha Kranti Morcha workers tonsured their heads in Aurangabad's Gangapur during their protest demanding reservation for Maratha community in govt jobs & education. pic.twitter.com/OT8KnMWCXP
પરંતુ મરાઠા સમાજ સંતુષ્ઠ નથી. મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગને લઈને આજે મરાઠા ક્રાંતિ મોર્ચા દ્વારા મહારાષ્ટ્ર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ઔરંગાબાદમાં એક યુવકે ગોદાવરી નદીમાં ઝંપલાવતા યુવકના મોત બાદ આંદોલન હિંસક બન્યું છે.
Maharashtra: Maratha Kranti Morcha workers set a truck ablaze in Aurangabad's Gangapur during their protest demanding reservation for Maratha community in govt jobs & education. pic.twitter.com/NiU8RmcAjD
આપને જણાવી દઇએ કે આ મામલે DM ઉદય ચૌધરીએ જણાવ્યું કે સરકારે મૃતક કાકાસાહેબ શિંડેના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય અને સાથે જ તેના નાના ભાઈને સરકારી નોકરી આપવાનો નિર્ણય કર્યો છે. જો કે મરાઠા અનામતની માગ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી અનામતની માગ તેજ થઈ છે.