અમદાવાદઃ 21 જૂન એટલે વિશ્ર્વ યોગ દિવસ. ચોથા વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 10 હજારથી પણ વધુ લોકો એકસાથે યોગ કર્યો.
યોગ દિવસના અવસરે સ્ટેડિયમ ખાતે રાજ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલ ઓ.પી.કોહલી સહિત રાજ્ય ચીફ જસ્ટીસ ખાસ હાજરી આપી હતી. તો સાથે જ ગુજરાતી ફિલ્મના કલાકારો સિંગરો ડોક્ટર્સ એન્જીનિયર્સ શિક્ષકો અને ગુજરાતી ક્રિકેટર્સ પાર્થીવ પટેલ યોગ દિવસમાં ભાગ લીધો હતો.
તો આ વર્ષે ખાસ એમ દિવ્યાંગ બાળકો અને બુદ્ધિજીવી લોકો જીએમડીસી ગ્રાઉન્ડમાં વિશેષ સાઈલેન્ટ યોગા કર્યા. તો અમદાવાદમાં 5 લાખથી પણ વધુ લોકો યોગા કરીને યોગા દિવસની ઉજવણી કરી.
યોગ દિવસ પર સીએમ રૂપાણીનું નિવેદન
તમામ શહેરો અને ગામોમા 75 લાખ લોકો જોડાયાઃ રૂપાણી
ભારતે શરૂ કરેલી પરંપરા આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ બની છેઃ સીએમ
સમગ્ર વિશ્વના લોકો યોગ દિવસ મનાવી રહ્યાં છેઃ સીએમ
યોગ ભારતની જૂની વિરાસત છેઃ સીએમ
યોગથી મન પ્રફૂલ્લિત રહે છેઃ સીએમ
દરેક વ્યક્તિ પોતાના તંદુરસ્તી જાળવણી માટે યોગ કરેઃ સીએમ
અમદાવાદમાં બોટમાં યોગ !
મહત્વનું છે કે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બોટમાં યોગ અભ્યાસ કરવામાં આવશે. શહેરના યુવાનોના એક ગ્રુપ દ્વારા આ યોગ નિદર્શનનું આયોજન કરવામાં આવશે. એક બોટમાં 15 જેટલા યુવાનો આ નિદર્શન કરશે. યોગ વિશે યુવાનો માહિતગાર થાય તે હેતુથી રિવરફ્રન્ટમાં બોટમાં યોગ કરવામાં આવશે.