આવતીકાલે એટલે કે 21 જૂને વર્લ્ડ યોગા ડે છે. સમગ્ર વિશ્વમાં આ દિવસ ખૂબ જ સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે. યોગ ફિટનેસનું સૌથી લોકપ્રિય માધ્યમ બની ગયું છે. પરંતુ જો યોગના ખરાં લાભ મેળવવા હોય તો તેને કરતી વખતે કેટલીક બાબતોનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. યોગ આપણાં તન અને મન બંનેને સ્વસ્થ રાખે છે. પણ યોગ કરવાના ખરાં ફાયદા મેળવવા માટે યોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે નહીંતર તેના ફાયદા નથી મળતાં. તો ચાલો આજે જાણી લો.
21 જૂનએ વર્લ્ડ યોગા ડે
યોગ કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
યોગથી તન અને મન રહે છે સ્વસ્થ
યોગ પહેલાં કંઈ ખાવું નહીં
હમેશાં યાદ રાખવું કે યોગ કરવાના 2-3 કલાક પહેલાં કંઈ જ ખાવું નહીં. જો તમને કંઈપણ ખાઈને કે જમીને તરત યોગ કરશો તો તમને ગભરામણ, શરીરમાં દુખાવો અને ઉલ્ટી જેવી સમસ્યા થઈ શકે છે. સાથે જ થાક પણ લાગશે.
કંઈ વાગ્યું હોય તો યોગ ન કરવા
જો તમને કોઈ ઈજા થઈ હોય કે કંઈક વાગી ગયું હોય અથવા યોગનો કોઈ પોઝ કરવાના પરેશાની કે દુખાવો થતો હોય તો કોઈ યોગ નિષ્ણાંતની સલાહ અવશ્ય લો. પછી જ યોગ કરો.
યોગ દરમિયાન મોબાઇલથી રહો દૂર
યોગ કરતી વખતે તમારું સંપૂર્ણ ધ્યાન યોગ પર જ હોવું જોઈએ. યોગ કરતી વખતે અથવા યોગ ક્લાસિસ જતાં હોવ તો ત્યાં મોબાઈલનો ઉપયોગ કરવો નહીં.
કપડાંની પસંદગી
યોગ અભ્યાસ કરવા માટે યોગ્ય કપડાંની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. યોગ કરતી વખતે વધુ ટાઈટ અથવા પરસેવો વધારે એવા કપડાં ન પહેરવા જોઈએ.
યોગમાં જબરદસ્તી
ઘણાં લોકો યોગ કરવાની શરૂઆત કરે છે એને 1-2 દિવસમાં જ ઉત્સાહમાં આવીને મુશ્કેલ યોગ પણ જબરદસ્તી કરવાનો ટ્રાય કરે છે. જેના કારણે શરીરમાં દુખાવો અને ઘણીવાર ઈજા પણ થઈ જાય છે. જેથી યોગભ્યાસ ધીરે-ધીરે આગળ વધારવો જોઈએ.
યોગ દરમિયાન વાતચીત ના કરો
જો તમે યોગ ક્લાસિસમાં જતાં હોય તો ત્યાં અન્ય લોકો સાથે વાતચીત કરીને તમારું ધ્યાન ભટકાવું નહીં. ત્યાં બની શકે એટલી ઓછી વાક કરવી.
આ વસ્તુઓ રાખવાનું ભૂલશો નહીં
યોગ કરતી વખતે હમેશાં યોગ મેટનો ઉપયોગ કરવો. સાથે જ તમારો રૂમાલ પણ જોડે રાખવો. જેથી પરસેવો થાય તો તેને લૂછી શકાય.