આજે વિશ્વ યોગ દિવસ છે, યોગ વિશે વાત કરતા સમયે આપણે બાબ રામદેવનું નામ લેવાનું બિલકુલ ભૂલતા નથી. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં યોગ પરંપરાને સમૃદ્ધ બનાવવામાં કયા સુપ્રસિદ્ધ યોગ ગુરુઓનું યોગદાન રહ્યું હતું. ખરેખર તો એ યોગ ગુરુઓની મહેનતનું જ પરિણામ છે કે, આજે યોગ આખા વિશ્વમાં નામના મેળવી રહ્યો છે.
લોકો દેશ-વિદેશથી ભારતમાં યોગ શીખવા માટે આવે છે. 21 જુન, એટલે કે આજે લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે. ત્યારે અહીં આજે તમે એ યોગ ગુરુઓ વિશે જાણશો કે જેમણે યોગને દુનિયા ભરમાં પ્રસિદ્ધ બનાવ્યો છે.
ધીરેન્દ્ર બ્રહ્મચારી
ધીરેન્દ્ર બ્રહ્મચારી ઇંદિરા ગાંધીના યોગ ટીચર સ્વરૂપે જાણિતા છે. એમણે દુરદર્શન ચેનલના માધ્યમથી યોગને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું હતું. એમણે દિલ્હીની સ્કૂલો અને વિશ્વયાતન યોગ આશ્રમમાં યોગની શરૂઆત કરાવી. એમણે અંગ્રેજી ભાષામાં ઘણા પુસ્તકો દ્વારા યોગના પ્રસારને પ્રોત્સાહન આપ્યું હતું. જમ્મૂમાં તેમનો એક આશ્રમ આવેલો છે.
બી.કે.એસ. આયંગર
બી. કે. એસ. આયંગરે યોગને દુનિયાભરમાં ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. 'આયંગર યોગ' નામથી એમની એક યોગ સ્કૂલ પણ છે. આ સ્કૂલના માધ્યમથી એમણે દુનિયાભરના લોકોને યોગ પ્રતિ જાગરુક કર્યો હતો. વર્ષ 2004માં 'ટાઇમ મેગેઝીન' (TIME) એ તેમનુ નાન દુનિયામાં ટોપ 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ કર્યા હતા. 'લાઇટ ઓન યોગ' નામથી એમનું એક પુસ્તકને યોગનું 'બાઇબલ' માનવામાં આવે છે.
મહર્ષિ મહેશ યોગી
મહર્ષિ મહેશ યોગી દેશ અને દુનિયામાં 'ટ્રાન્સેડેન્ટલ મેડિટેશન' ના જાણીતા ગુરુ હતા. ઘણા સેલિબ્રિટીઝ પણ તેમને પોતાના ગુરુ માને છે. દુનિયાભરમાં તે પોતાના યોગ માટે ઓળખવામાં આવે છે. શ્રી શ્રી રવિશંકર પણ મહર્ષિ મહેશ યોગીના શિષ્ય છે.
તિરુમલાઇ કૃષ્ણમચાર્ચ
તિરુમલાઇ કૃષ્ણમચાર્યને 'આધુનિક યોગના પિતા' કહેવામાં આવે છે. હઠયોગ અને વિન્યાસને ફરી જીવિત કરવાનો શ્રેય તેમને જાય છે. તિરુમલાઇ કૃષ્ણમચાર્યને આયુર્વેદના પણ જાણકાર હતા. એમણે મૈસૂરના રાજાના સમયમાં આખા ભારતમાં યોગને નવી ઓળખ અપાવી હતી.
કૃષ્ણ પટ્ટાભિ જોઇસ
કૃષ્ણ પટ્ટાભિ જોઇસ પણ એક મોટા યોગગુરુ હતા. એમનો જન્મ 26 જુલાઇ, 1915 અને મૃત્યું 18 મે 2019 થયું હતું. કૃષ્ણ પટ્ટાભિ જોઇસે અષ્ટાંગ વિન્યાસ યોગ શૈલી વિકસિત કરી હતી. એમના અનુયાયીઓમાં મેડોના, સ્ટિંગ અને ગ્વેનેથ પાલ્ટ્રો જેવા મોટા નામ સામેલ હતું.
પરમહંસ યોગાનન્દ
પરમહંસ યોગાનન્દ પોતાના પુસ્તક 'ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી' માટે જાણિતા છે. એમણે પશ્ચિમના લોકોને મેડિટેશન અને ક્રિયા યોગનો પરિચય કરાવ્યો હતો. પરમહંસ યોગાનંદ યોગ પહેલા અને મુખ્ય ગુરુ છે. એમણે મોટાભાગે પોતાનું જીવન અમેરિકામાં પુર્ણ કર્યું હતું.
સ્વામી શિવાનંદ સરસ્વતી
સ્વામી શિવાનંદ સરસ્તવતી એક ડોક્ટર હતા. એમણે યોગ, વેદાન્ત અને અન્ય ઘણા વિષયો પર લગભગ 200થી વધારે પુસ્તકો લખ્યા છે. 'શિવાનંદ યોગ વેન્દાત' ના નામે એમનું એક યોગ સેન્ટર પણ છે.