આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રિપોર્ટનું વિમોચન કર્યું. ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટીમેશન નામના આ રિપોર્ટમાં વાઘની વસ્તીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિપોર્ટનું વિમોચન કર્યાં બાદ કહ્યું કે દેશમાં વર્ષ 2018 સુધીમાં વાઘની સંખ્યા 2 હજાર 967 થઈ ચુકી છે.
વાઘની સંખ્યામાં વધારો થયાની વાત જાણીને દેશના લોકોને આનંદ થશે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઘણા લોકો વાઘને આસ્થાનું પ્રતિક માને છે અને ભારતમાં વાઘની નોંધનિય વસ્તી હોવી એ આપણા માટે ગર્વની વાત કહી શકાય. દેશમાં વાઘના સંરક્ષણ પર સારુ કામ થઈ રહ્યું છે અને આવનારા સમયમાં વાઘની સંખ્યામાં હજુ પણ વધારો થશે, તેવો વડાપ્રધાન મોદીએ આશાવાદ પણ વ્યક્ત કર્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર અખિલ ભારતીય વાઘ અનુમાન 2018 જાહેર કર્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વાઘની ઘટતી સંખ્યા એક ચિંતાનો વિષય છે. અત્યારે વાઘની સંખ્યા અંદાજે લગભગ ત્રણ હજાર જેટલી છે.
આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે કેટલાંક દેશમાં વાઘ આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. વાઘ માટે ભારત એક સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે. પીએમ મોદીએ કહ્યું કે વાઘની સંખ્યા વધશે તો પર્યટનમાં પણ વધારો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરવામાં આવેલા અખિલ ભારતીય વાઘ અનુમાનમાં જણાવવામાં આવ્યું છે કે હાલ દેશમાં કુલ 2967 વાઘ છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 2014ની સરખામણીએ દેશમાં 741 વાઘની સંખ્યા વધી છે. 2006માં ભારતમાં 1411 વાઘ હતા, જ્યારે 2010માં 1706 અને 2014માં 2226 વાઘ હતા. જ્યારે પીએમ મોદીએ આજે રજૂ કરેલા રિપોર્ટ અનુસાર 2018માં 2967 વાઘ હાલ દેશમાં છે.