ભારતમાં ચા પીવાનું વધારે લોકો પસંદ કરતા હોય છે, કેટલાક લોકોને સવારે આંખ ખોલતા વેંત જ ચા જોઇતી હોય છે અને જો ચા ન મળે તો તેમનો આખો દિવસ ખરાબ જાય છે. માત્ર આટલું નહી ઑફીસ અને કામની વચ્ચે તાજા રહેવા માટે પણ લોકો ચા પીતા હોય છે.
મસાલા ચાના ફાયદા
મસાલા ચામાં ઉપયોગમાં લેવાતી બધી સામગ્રી જેમકે લવિંગ, ઇલાઇચી, આદુ, તુલસી અને ચાના આમ તો પોતપોતાના અલગ ફાયદા છે જ પરંતુ વિચારો આ બધી જ સામગ્રી એક સાથે મળે તો તેના ફાયદા કેટલા વધી જાય.
દુઃખાવો કરે ઓછો
મસાલા ચામાં નાંખવામાં આવતી સામગ્રી શરીરમાં કોઇ પણ પ્રકારના સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. જેમાં આદુ સૌથી મહત્વનું છે. 15 મિનીટ સુધી આ મસાલાને પાણીમાં ઉકાળવાથી તેના ફાયદા મળે છે.
થાક કરે દૂર
જો તમે થાકેલા છો તો એક કપ મસાલા ચાથી થાક દૂર થઇ જાય છે. તેમાં રહેલા ટૈનિન શરીરને રાહત આપવાની સાથે સાથે તેને ફરી સામાન્ય કરવામાં મદદ કરે છે.
પેટના કેન્સરના ખતરાને કરે ઓછુ
ચામાં નંખાતી સામગ્રીમાં એન્ટીઓક્સિડેન્ટ અને ફાઇટોકેમિકલ્સ હોય છે. જેમાં કેન્સર રોધક વિશેષતા હોય છે. જેના કારણે પેટના કેન્સરથી લાભ મળે છે.
પાચન શક્તિ વધારે
ચામાં નંખાતી સામગ્રીનું નિયમિત સેવન પાચન અને એન્જાઇમ્સને સ્ટિમ્યુલેટ કરે છે. જેનાથી ઓક્સિજન લેવાની ક્ષમતા વધે છે.
PMS દૂર કરે
આદુ પિરીયડ્સની બિમારીમાં થનારા સિન્ડ્રોમના કારણે થવાવાળા દુઃખાવામાં રાહત આપે છે. ચા હોર્મોનલ સંતુલન બનાવવામાં મદદ કરે છે.