કોરોનાના ગંભીર લક્ષણોમાં ડિલિરિયમનું સંકટ તોડાઈ રહ્યું છે. 73 ટકા દર્દીઓને ડિલિરિયમ નામની બિમારી હોવાનું સામે આવ્યું.
150 કોરોનાના દર્દીઓનું અધ્યયન કરવામાં આવ્યું
73 ટકા દર્દીઓને ડિલિરિયમ નામની બિમારી
દર્દીઓને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહેવુ પડી શકે
73 ટકા દર્દીઓને ડિલિરિયમ નામની બિમારી
અમેરિકામાં કોરોનાની શરુઆતમાં સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા 150 દર્દીઓના અધ્યયનમાં એ જોવા મળ્યું છે કે 73 ટકા દર્દીઓને ડિલિરિયમ (Delirium)નામની બિમારી હતી. ડિલિરિયમ ચિત્તવિભ્રમની એક ગંભીર સ્થિતિ છે. જેમાં દિમાગના યોગ્ય રીતે કામ ન કરનારા વ્યક્તિ ભ્રમ, ઉત્તેજનામાં રહે છે અને સ્પષ્ટ રુપથી સમજી વિચારી નથી શકતો. મેગેઝિન ‘બીએમજે ઓપન’માં પ્રકાશિત અધ્યયનમાં એ જોવા મળ્યું કે ડિલિરિયમ ન દર્દી હાઈ બ્લડ પ્રેશર અને ડાયબિટિસ જેવી બિમારીથી પણ પીડિત રહે છે અને તેમા કોવિડ સંબંધી લક્ષણો વધારે ગંભીર જોવા મળે છે.
લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહેવુ પડી શકે
અમેરિકામાં મિશિગન યુનિના અધ્યયનના લેખક ફિલિપ વ્લીસાઈડ્સે કહ્યું કોવિડનો સંબંધ અનેક અન્ય પ્રતિકૂળ પરિણામોથી છે જેમાં લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહેવુ પડી શકે છે અને સ્વસ્થ્ય થવામાં સમસ્યા આવી શકે. અધ્યયન કર્તાઓને માર્ચ અને મે 2020ની વચ્ચે આઈસીયૂમાં દાખલ રહેલા દર્દીઓના એક ગ્રુપને હોસ્પિટલમાંથી રજા આપી દીધા બાદ તેમનો મેડિકલ રોકોર્ડ અને ટેલિફોન પર કરવામાં આવેલા સર્વેક્ષણનો ઉપયોગ કરવામાં આવ્યો.
લોહીના થક્કા જામ કરી શકે
અનુસંધાનકર્યાઓએ જોયું કે ડિલિરિયમથી દિમાગમાં ઓક્સીજનની અછત હોઈ શકે છે અને સાથે જ લોહીના થક્કા જામ કરી શકે છે આઘત આવી શકે છે. જેનાથી સમજવાની ક્ષમતા ખોવાઈ શકે છે. તેમણે જણાવ્યું છે ડિલિરિયમના દર્દીઓના દિમાગમાં સોજો વધી જાય છે. દિમાગમાં સોજાથી ભ્રમ અને બેચેની વધી શકે છે.
સમજવાની ક્ષમતા જતી રહેવાની સ્થિતિ બનેલી રહી શકે
અધ્યયનમાં એમ પણ જોવા મળ્યું કે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ સમજવાની ક્ષમતા જતી રહેવાની સ્થિતિ બનેલી રહી શકે છે. લગભગ એક ચતૃાંથ દર્દી હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ડિલીરિયમથી પીડિત જોવા મળ્યા. કેટલાક દર્દીઓમાં આ લક્ષણો મહિનાઓ સુધી રહે છે. આનાથી હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ સ્વસ્થ થવાની પ્રક્રિયા હજું વધારે મુશ્કેલ થઈ શકે છે. ફિલિપે કહ્યું કે નિષ્કર્ષ તરીકે એ કહી શકાય છે કે કોરોનાના ગંભીર લક્ષણોની સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને અવસાદ ગ્રસ્ત અને ડિલિરિયમથી પીડિત થવાની શક્યતા વધારે છે.
તેમણે કહ્યું કે કુલ મળીને આ અધ્યયન જણાવે છે કે કેમ રસી લગાવવાનું અને ગંભીર રુપની બિમારીથી બચવું આટલું મહત્વપૂર્ણ છે. આનાથી તંત્રિકા સંબંધી લાંબાગાળાની અસર થઈ શકે છે. જે અંગે શક્ય છે કે આપણે એટલી વાતો નથી કરતા જેટલી કરવી જોઈએ.