ઇન્ટરનેશનલ મોનિટરી ફન્ડે (IMF) વર્ષ 2019-20 માટે ભારતના આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડીને 6.1 કર્યો છે. જે એપ્રિલમાં જાહેર કરાયેલા અનુમાનની તુલનામાં 1.2 ટકા ઓછો છે. IMFએ એપ્રિલમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 2019માં 7.3 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.
IMFએ વર્ષ 2019 માટે ભારતના આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડીને 6.1 કર્યો
IMFએ એપ્રિલમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 2019માં 7.3 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું
આઇએમએફે કહ્યું - ભારતે કમજોરી દૂર કરવા માટે MPC, મોટા સ્ટ્રક્ચરલ રિફોર્મ્સની જરૂર
જોકે, ત્રણ જ મહીના બાદ જુલાઇમાં આઇએમએફે ભારત માટે ધીમી વૃદ્ધિ દરની સંભાવના દર્શાવી અને જીડીપી વૃદ્ધિ દરને 7.3 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યો હતો. આઇએમએફે 2019માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરનો અનુમાન ઘટાડીને 3 ટકા કર્યો છે. જે ગત વર્ષે 3.8 ટકા હતો.
આઇએમએફે ભારતના FY20 ગ્રોથ અનુમાનમાં પણ ઘટાડો કર્યો છે. આઇએમએફે FY20 ગ્રોથ અનુમાનમાં 0.90 ટકાનો ઘટાડો કર્યો છે. FY20માં અનુમાન 7 ટકાથી ઘટાડી 6.1 ટકા કર્યો. FY20માં ગ્રોથ અનુમાન 7.3 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યો. આઇએમએફે કહ્યું કે, ભારતે કમજોરીને દૂર કરવા માટે MPC, મોટા સ્ટ્રક્ચરલ રિફોર્મ્સની પણ મદદ લેવી જોઇએ.
2018માં ભારતનો વાસ્તકિક વૃદ્ધિ દર 6.8 ટકા હતો. આઇએમએફે પોતાના તાજા વિશ્વ આર્થિક પરિદ્દશ્યમાં અનુમાન દર્શાવ્યું છે કે ભારતનો વૃદ્ધિ દર 2019માં 6.1 ટકા રહેશે અને આવતા વર્ષે 2020માં ભારતીય અર્થવ્યવસ્થામાં સુધાર આવવાની સાથે તેનો વૃદ્ધિ દર 7.0 ટકા રહેશે.
આઇએમએફે એક નિવેદનમાં જણાવ્યું કે, એપ્રિલ 2019 વિશ્વ આર્થિક અનુમાનના સંબંધમાં આ સંશોધન કરાયું છે. ઘરેલૂ માંગ માટે આશા કરતા વધારે કમજોર પરિદ્દશ્યને કારણે વૃદ્ધિ દરના અનુમાનમાં ઘટાડો કરાયો છે. જોકે, નાણાકીય નીતિના સરળ બનાવા, કોર્પોરેટ ટેક્સના દરમાં ઘટાડો અને ગ્રામીણ ઉપભોગને પ્રોત્સાહન આપવા માટે સરકારી કાર્યક્રમોથી વૃદ્ધિને વેગ મળશે.
નોંધનીય છે કે, આ પહેલા વિશ્વ બેન્કે (World Bank) પણ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો ગ્રોથ રેટ અનુમાન ઘટાડ્યો હતો. વર્લ્ડ બેન્ક મુજબ, ભારતનો વિકાસ દર 6 ટકા રહી શકે છે.