હાલના સમયમાં ભારતની અર્થવ્યવસ્થા આર્થિક મંદીમાંથી પસાર થઈ રહી છે. આ માટે આંતરરાષ્ટ્રિય મુદ્રા કોષ ( IMF )એ ભારતને ચેતવણી આપી છે. IMF દ્વારા કહેવાયું છે કે અર્થવ્યવસ્થાને ફરીથી યોગ્ય સ્થાને લાવવા માટે ભારતે જલ્દી અને મોટા પગલાં લેવાની જરૂર છે. આ વિશે IMFએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા, ગ્લોબલ ઈકોનોમી ગ્રોથ વધારનારી અર્થવ્યવસ્થામાંની એક છે. આ માટે ભારત જલ્દી કોઈ ખાસ પગલાં લે.
IMF ની ભારતને ચેતવણી
આર્થિક મંદીને લઈને ખાસ પગલાં લેવાની જરૂરઃ IMF
હાલમાં 4.5 ટકાનો છે ભારતનો GDP
ભારતે જરૂર છે નીતિગત ઉપાયો કરવાની
લાખો ભારતીયોને ગરીબીથી બહાર લાવ્યા બાદ હવે ભારત આર્થિક સુસ્તીથી ઘેરાયેલું છે. સુસ્તીને દૂર કરવા માટે અને અર્થવ્યવસ્થાને યોગ્ય રીતે ચલાવવા માટે ભારતે જલ્દી નીતિગત ઉપાયો કરવાની જરૂર છે.
IMF અનુસાર આટલો હોઈ શકે છે વૃદ્ધિદર
IMF એ ઓક્ટોબરમાં ભારતની 2019ની આર્થિક વૃદ્ધિ માટે 6.1 ટકા અને 2020માં તેના 7 ટકા સુધી પહોંચવાનો અંદાજ રાખ્યો છે.
જાન્યુઆરી 2020માં થશે સમીક્ષા
IMFની મુંબઈમાં આયોજિત કોન્કલેવમાં જણાવવામાં આવ્યું હતું કે આ પહેલાં ઓક્ટોબરમાં વૃદ્ધિદરને લઈને અનુમાન જાહેર કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2020માં તેની સમીક્ષા કરાશે. ભારતમાં ઉપભોક્તાની માંગ અને પ્રાઈવેટ સેક્ટરમાં રોકાણમાં આવેલી ખામીના કારણે નિકાસ કારોબારના જીડીપી વૃદ્ધિમાં ઘટાડો સુસ્તીને માટે જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે.
4.5 ટકા પર છે ભારતનો જીડીપી
આ પહેલાં જાહેર કરવામાં આવેલા જીડીપીના આંકડાથી અર્થવ્યવસ્થામાં સુસ્તીનો સંકેત મળી રહ્યો છે. જુલાઈ- સપ્ટેમ્બર 2019ના ત્રિમાસિક દરમિયાન ભારતનો આર્થિક વિકાસ દર ઘટીને 4.5 ટકાનો થયો છે. જે લગભગ સાડા છ વર્ષનો સૌથી નીચા સ્તરનો જીડીપી છે. આ સતત છઠ્ઠી તિમાહી છે જ્યારે જીડીપીમાં સુસ્તી જોવા મળી હતી.
છેલ્લા કેટલાક સમયથી આવો રહ્યો છે જીડીપીનો દર
આ પહેલાં જાન્યુઆરી- માર્ચ 2013માં જીડીપી વિકાસદર 4.3 ટકાનો રહ્યો. એક વર્ષ પહેલાં આ જ સમયગાળામાં જુલાઈ- સપ્ટેમ્બર 2018માં આ વિકાસદર 7 ટકાનો થયો હતો. હાલના વર્ષના પહેલાં ત્રિમાસિકમાં આ વિકાસ દર 5 ટકાનો રહ્યો હતો.