પતંગોત્સવ 2020 કેમ કેવડિયા કોલોની ઉજવાશે. દર સાલ અમદાવાદ સાબરમતી ખાતે ઉજવાતો પતંગ મહોત્સવ આ સાલ કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુઓફ યુનિટીમાં યોજાવાનો છે ત્યારે અમદાવાદનું નામ કેમ કમી કરવામાં આવ્યું તે અંગે ગણગણાટ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી CAA, NRC, NPR વગેરે જેવા મુદ્દાઓને કારણે ભારતની આતંરરાષ્ટ્રીય છબી ખરડાઈ છે. ત્યારે પ્રવાસન વિભાગ ઉપર માઠી અસરો પડી છે. કેવડિયાને આતંરાષ્ટ્રીય ફલક ઉપર લાવવા માટે આ પ્રયાસ કરાઈ રહ્યો હોવાની પણ ચર્ચા છે.
અમદાવાદમાં કોમી વૈમનશ્યને કારણે પતંગોત્સવ કેવડિયા ખસેડાયો?
અબજોને ખર્ચે એકતાસીટી બનાવી હવે કરોડોને ખર્ચે ઉત્સવો કરશે
ખેડૂતો માટે સરકાર આંકડામાં ઘાલમેલ કરે છે અને ઉત્સવોમાં મનમૂકીને ખર્ચા
પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા આ વખતે પંતગોત્સવ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજવામાં આવ્યો છે. અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટમાં યોજાતો પતંગ મહોત્સવ આ સાલ કેવડિયા કોલોનીમાં યોજવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં ચાલી રહેલા નાગરિકાત કાયદા (CAA)ના વિરોધને પગલે આંતરાષ્ટ્રીય પર્યટકોમાં ઘટાડો થયો છે. વૈશ્વિક લેવલે હિન્દુ કટ્ટરતા તરીકેની છબી ઉભરી રહી છે. ત્યારે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે આ વર્ષે પતંગોત્સવ કેવડિયા યોજાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.
ક્યારે યોજાશે પતંગોત્સવ
નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે પતંગોત્સવ યોજાશે. 9 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રિય પતંગોત્સવ શરૂ થશે. દેશ-વિદેશનાં પતંગબાજો પતંગોત્સવમાં ભાગ લેશે. પતંગોત્સવમાં 89 પતંગબાજો વિવિધ 15 દેશોનાં 50 પતંગબાજો ભાગ લેશે. ભારતના અલગ અલગ રાજ્યોના 39 પતંગબાજો ભાગ લેશે. પતંગોત્સવના આયોજન માટે બેઠક યોજાઈ છે.જુદી જુદી કમિટી બનાવી અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે.
અમદાવાદનું નામ કેમ કપાયુ
અમદાવાદમાં તાજેતરમાં જ ન CAAના વિરોધમાં થયેલી હિંસાને પગલે અમદાવાદની છબી ખરડાઈ છે. વળી કાંકરિયા કાર્નિવલ સહિતના ઉત્સવો અમદાવાદમાં જ યોજાય છે. જ્યારે કેવડિયાને સરકાર આતંરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવા માંગે છે. જો કે અમદાવાદમાં પણ પતંગોત્સવ તો યોજાશે પણ તેમાં વડાપ્રધાન હાજરી આપે અને ન પણ આપે.