આજથી અમદાવાદમાં 31મો આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આયોજીત આ પતંગ મહોત્સવમાં 43 દેશોના પતંગબાજો ભાગ લેશે.
આજથી અમદાવાદમાં 31મો આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ
પતંગ મહોત્સવમાં 43 દેશોના પતંગબાજો લેશે ભાગ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કરાવશે મહોત્સવનો પ્રારંભ
અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રંટ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. આ પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો આ પતંગમહોત્સવમાં જોડાશે.
આ પતંગ મહોત્સવમાં 43 દેશોના 153 પતંગબાજો આ સ્પર્ધામાં ભાગ લેશે. 12 રાજ્યોના 115 પતંગબાજો પણ મહોત્સવમાં જોડાશે. આજથી 14 જાન્યુઆરી સુધી પતંગ મહોત્સવ યોજાશે. આ પતંગમહોત્સવોનો આનંદ માણવા રાજ્યભરમાંથી લોકો આવશે.
આ કાર્યક્રમ અગાઉ સોલા ભાગવતના ઋષિ કુમારો પણ જોડાશે. 200 ઋષિ કુમારો નદી કીનારે સૂર્યવંદના કરશે. AMC સંચાલિત શાળાના 1500 વિદ્યાર્થીઓ સૂર્યનમસ્કાર કરશે. અંતિમ દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે.