વિદેશી ધરતી પર મોરેશિયસમાં પહેલો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ મનાવ્યા બાદ ખૂબ જલદી બીજો મહોત્સવ લંડનમાં મનાવાશે. આ મહોત્સવને લઇને જીઓ ગીતા સંસ્થા અને કુરુક્ષેત્ર વિકાસ બોર્ડના સભ્યો વચ્ચે મંથન ચાલી રહ્યું છે.
સંસ્થા તરફથી આ મહોત્સવ માટે પહેલા જુલાઇનો સમય નક્કી કરાયો હતો, પરંતુ કેટલાક કારણસર હવે તે ઓગસ્ટ મહિનામાં હોવાની વાત કહેવાય છે. હજુ સુધી આ માટે કોઇ ઓફિશિયલ જાહેરાત થઇ નથી, પરંતુ મોરેશિયસમાં સફળ મહોત્સવ મનાવીને આવેલા કેડીબીના સભ્ય અને સરકાર તેનાથી ઉત્સાહિત છે.
કુરુક્ષેત્રમાં મનાવાતા ગીતા જયંતી મહોત્સવને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાની સાથે પ્રદેશ સરકાર ગીતા જયંતી મહોત્સવને વિદેશી ધરતી પર મનાવવાના પ્રયાસ કરી રહી છે. તે અંતર્ગત ૧૩થી ૧૬ ફેબ્રુઆરી સુધી મોરેશિયસની ધરતી પર પહેલો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ મનાવાયો હતો.
આ મહોત્સવનો શુભારંભ રાષ્ટ્રપતિ પરમાશિવમ્ પિલ્લે અને ગીતા મનિષી સ્વામી જ્ઞાનાનંદ કર્યો હતો. આ દરમિયાન ત્યાંના કલા અને સંસ્કૃતિ પ્રધાન પી.રૂપેણ હાજર રહ્યા હતા. સમાપન સમારંભ દરમિયાન પ્રદેશના મુખ્યપ્રધાન મનોહરલાલ પહોંચ્યા હતા. હવે લંડનમાં બીજો આંતરરાષ્ટ્રીય મહોત્સવ મનાવવાને લઇને વિચારવિમર્શ ચાલી રહ્યો છે. આ મહોત્સવથી આંતરરાષ્ટ્રીય સ્તરે કુરુક્ષેત્ર અને ગીતાની ઓળખ વધુ મજબૂત બની રહી છે.