સરકારે હવે વધારે એક કોરોનાનાં નિયમને હટાવ્યો છે અને હવે ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ બે વર્ષ બાદ 27 માર્ચ 2022થી શરુ થવા જઈ રહી છે.
સરકારે દૂર કર્યો આ કોરોના નિયમ
એર બબલ સિસ્ટમ હેઠળ ઓપરેટ થઇ રહી હતી ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ
માર્ચ 2020માં લાગ્યો હતો બેન, 27 માર્ચ 2022થી થશે સમાપ્ત
સરકારે દૂર કર્યો આ કોરોના નિયમ
એરપોર્ટ અથોરિટી ઓફ ઇન્ડિયાએ ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સને લઈને નવી કોવિડ19 ગાઈડલાઈન જાહેર કરી છે. સંશોધિત #COVID19 ગાઈડલાઈન અનુસાર, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં 3 સીટ ખાલી રાખવાનો પ્રતિબંધ હટાવાયો છે. એરપોર્ટ પર સુરક્ષા કર્મીઓ દ્વારા કરવામાં આવેલ પેટ ડાઉન સર્ચ ફરી શરુ થઇ ગયું છે. એરપોર્ટ અથોરિટી ઓફ ઇન્ડિયાની નવી કોરોના ગાઈડલાઈન્સ અનુસાર, યાત્રીઓને એરપોર્ટ પરિસર અને ફ્લાઈટની અંદર માસ્ક પહેરવું તો ફરજીયાત જ છે.
ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ બે વર્ષ બાદ 27 માર્ચ 2022થી શરુ થવા જઈ રહી છે. કોરોના સંક્રમણનાં કાબૂમાં આવ્યા બાદ પણ એરપોર્ટ પર કોવિડ-19 પ્રોટોકોલનું પાળાન કરવું પડશે. કોરોનાને કારણે માર્ચ 2020થી જ નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિ રાદીત્ય સિંધિયાએ હાલમાં જ એલાન કર્યું હતું કે એર બબલ વ્યવસ્થાને પણ ખતમ કરવામાં આવી છે. તેમણે સમર શેડ્યુલ 2022ની શરૂઆતથી કમર્શિયલ ઇન્ટરનેશનલ પેસેંજર સર્વિસને ફરી શરુ કરવાનું પણ એલાન કરવામાં આવ્યું હતું.
એર બબલ સિસ્ટમ હેઠળ ઓપરેટ થઇ રહી હતી ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ
કોરોના કાળમાં એર બબલ સિસ્ટમ હેઠળ 2 દેશને અમુક શરતો સાથે એકબીજાના ક્ષેત્રોમાં ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની મંજૂરી આપવામાં આવતી હતી. આ વ્યવસ્થા હેઠળ જુલાઈ 2020થી ભારત અને બીજા 37 દેશો વચ્ચે સ્પેશિયલ ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઓપરેટ થઇ રહી છે. જોકે એર બબલ વ્યવસ્થાએ એરલાઈન્સનાં ઓપરેશન અને તેમના લાભ કમાવાના અવસરોને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. હવે આ વ્યવસ્થા સમાપ્ત થવાથી એરલાઈન્સ કંપનીઓને રાહત મળશે.
માર્ચ 2020માં લાગ્યો હતો બેન, 27 માર્ચ 2022થી થશે સમાપ્ત
નાગરિક ઉડ્ડયન મહાનીદેશાલયએ માર્ચ 2020માં કોરોના વાયરસનાં સંક્રમણને રોકવા માટે આંતરરાષ્ટ્રીય ઉડાનોને રદ્દ કરી હતી. તે સમયે કોરોના સંક્રમણ આખી દુનિયા માટે નવી અને અજાણી બીમારી હતી. જોકે આ સંક્રમણ માણસોથી માણસોમાં ફેલાય છે, એટલે બધા દેશોને એ ડર હતો કે ક્યાંક આંતરરાષ્ટ્રીય યાત્રીઓનાં માધ્યમથી તેમને ત્યાં વાયરસ ન ફેલાય જાય. આ વચ્ચે ઘણા દેશોમાં કોરોનાનાં નવા વેરીયંટ પણ સામે આવી રહ્યા હતા. એટલા માટે ભારતે પણ ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સને અટકાવી હતી. કોરોના પર કાબૂ મળ્યા બાદ હવે ભારતે 27 માર્ચ 2022થી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને શરુ કરવાનો નિર્ણય લીધો છે.