કોરોના મહામારીના કારણે માર્ચ 2020થી બંધ પડેલી આંતરરાષ્ટ્રીય વિમાન સેવાને લઈને સરકારે મુસાફરોને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે.
કોરોનાના કારણે બંધ પડેલી વિમાન સેવા ફરી શરૂ
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવા કાલથી શરૂ થશે
નિયમોમાં પણ આપી ઢીલ
કોરોના મહામારીના કારણે માર્ચ 2020થી બંધ પડેલી આંતરરાષ્ટ્રીય વિમાન સેવા આવતીકાલથી એટલે કે, 27 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ અગાઉ કેન્દ્ર સરકારે એરપોર્ટ અને ફ્લાઈટ પર રહેલા કોવિડ નિયમોમાં ઢીલ આપવાની પણ જાહેરાત કરી હતી.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નવા નિયમો અનુસાર કેબિન ક્રૂ મેમ્બર્સને હવે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેંટ કિટ પહેરવાની જરૂર નથી, અને એરપોર્ટ પર સુરક્ષાકર્મીઓ જરૂર પડતા યાત્રિઓની તપાસ ફરીથી કરી શકશે.
કોવિડ નિયમોમાં ઢીલ આપી દીધી
સરકારે જાહેરાત કરી છે કે, એરલાીન્સને પણ ઈંટરનેશનલ ફ્લાઈટમાં મેડિકલ ઈમરજન્સી માટે 3 સીટો ખાલી રાખવાની જરૂર નથી. કેન્દ્રએ એર ઓપરેશનને વધારે સારી રીતે સંચાલનની સુવિધા ને ધ્યાનમાં રાખતા આ નિયમોમાં ઢીલ આપી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું છે કે, દેશમાં હાઈ લેવલ વેક્સિનેશનની સાથે સાથે કોરોના વાયરસના સંક્રમણની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
ફેસ માસ્ક અને સેનેટાઈઝર્સ જરૂરી
જો કે, કેન્દ્ર સરકારે કહ્યું છે કે, એરપોર્ટ અને ફ્લાઈટ દરમિયાન ફેસ માસ્ક અને હાથની સફાઈ/ સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનું ફરજિયાત રાખ્યું છે. એરલાઈંસ કંપની ફ્લાઈટમાં સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખતા અમુક વધારાની પીપીઈ કિટ, સેનેટાઈઝર અને એન-95 માસ્ક લઈ શકે છે. મુસાફરોની સાથે સાથે ફ્લાઈટ સ્ટાફને સંક્રમણ સાથે જોડાયેલા મામલામાં તેનો ઉપયોગ કરી શકે છે.
એરલાઈન્સ સેવા ઠપ થઈ હતી
ભારતીય વિમાન બજાર હજૂ પણ ઓમિક્રોન વેરિએન્ટના કારણે લાગેલા પ્રતિબંધોના કારણે આવેલી મંદીમાંથી ઉભરી રહ્યું છે. હકીકતમાં જાન્યુઆરીમાં કોરોના સંક્રમણના કેસો વધતાં ટ્રાવેલ બેનના કારણે એરલાઈન્સ કંપનીની અવરજવર ઠપ થઈ ગઈ હતી.
2020માં આંતરરાષ્ટ્રીય સેવા બંધ કરી હતી
આપને જણાવી દઈએ કે, ભારતે 23 માર્ચ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને રદ કરી દીધી હતી. જો કે, જૂલાઈ 2020માં 37 દેશો સાતે એર બબલ વ્યવસ્થાના માધ્યમથી ફ્લાઈટને ફરીથી શરૂ કરવામાં આવી હતી. તેમાં સીમિત સંખ્યાની સાથે અમુક શરતો સાથે ફ્લાઈટ ઓપરેશનને મંજૂરી આપવામાં આવી હતી. આ અગાઉ કેન્દ્ર સરકારે 18 ઓક્ટોબર 2021થી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા પુરી ક્ષમતા સાથે ચાલુ કરવાની મંજૂરી આપી દીધી હતી.