કોરોના વાયરસનાં કારણે વિશ્વમાં અફરાતફરીનો માહોલ છે. દેશનાં વડાપ્રધાન આજે રાત્રે રાષ્ટ્રને આ મુદ્દે સંબોધિત કરવાના છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા બીજો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના વાયરસ મુદ્દે કેન્દ્ર સરકારનાં દિશા-નિર્દેશ
બાળકો અને વૃદ્ધોને ઘરમાં રહેવા સલાહ
આંતરરાષ્ટ્રીય કોમર્શીયલ ફ્લાઈટ પર રોક
કોરોના વાયરસનાં ખતરાને જોતા 22મી માર્ચથી કોઈ પણ આંતરરાષ્ટ્રીય વિમાનને ભારતમાં લેન્ડ થવાની મંજુરી આપવામાં આવશે નહીં. જેનો સીધો અર્થ થાય છે કે એક અઠવાડિયા સુધી દેશમાં એક પણ કોમર્શીયલ ફ્લાઈટ આવી શકશે નહીં. ભારત સરકાર દ્વારા આજે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને વિવિધ પગલાંઓની જાણકારી દેશને આપવામાં આવી છે.
સરકારે દેશનાં નાગરીકો માટે દિશા નિર્દેશ પણ જાહેર કર્યા છે. સરકારે 10 વર્ષથી નાના બાળકો અને વૃદ્ધોને ઘરે રહેવાની સલાહ આપી છે. કોરોના વાયરસે અત્યાર સુધી દુનિયાનાં 9 હજારથી વધુ લોકોનો ભોગ લીધો છે. છેલ્લા 24 કલાકમાં 712 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનું સંખ્યા 180થી પણ વધી ગઈ છે.
આજે પીએમ મોદી કોરોના વાયરસ સામે લડત આપવા રાત્રે 8 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે,. કોરોના વાયરસને લઈને પીએમ મોદી સતત એક્શનમાં દેખાઈ રહ્યા છે. તે સોશિયલ મીડિયાનાં માધ્યમથી પણ લોકોને સંદેશ આપી રહ્યા છે, સાથે જ આવતીકાલે દેશનાં તમામ રાજ્યોના સીએમ સાથે પણ ચર્ચા કરવાના છે.