રાજપીપળા: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી 31 મી ઓક્ટોબરના લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દેશ વિદેશમાંથી 15000 પ્રવાસીઓ રોજના આવે એવી સરકારની તૈયારી છે.
તે માટે અહીંયા પ્રવાસીઓ આવે એ માટે ફોર લેન રસ્તાથી કેવડિયાને જોડવામાં આવ્યું છે બીજી બાજુ ચાંદોદથી સીધી રેલવે લાઈન પણ બનાવવા સર્વે કરવામાં આવ્યો છે હવે હવાઈ મુસાફરી કરી આવતા પ્રવાસીઓ માટે જિલ્લામાં એર ટ્રીપ વિકસાવવી જરૂરી બન્યું છે જે માટે આગાઉ રાજ્યના પૂર્વ રાજ્ય વન મંત્રી શબ્દસરણ તડવી એ રજૂઆત કરી જેમાં રાજ્ય સરકારની મંજૂરી મળી અને કેન્દ્ર સરકારની પણ લીલી ઝંડી મળી ગઈ છે.
હવાઈ કેન્દ્રીય ઉડ્ડિયાન મંત્રાલયની સૂચના અને રાજ્ય નાગરિક ઉડ્ડયન મંત્રાલય ની સિવિલ વિભાગની ટીમે રાજપીપળા ખાતે જગ્યા માટે જરૂરી બેઠક પ્રભારી સચિવ સાથે કરી ને જગ્યાનું નિરીક્ષણ પણ કર્યું હતું. જેમાં પ્રવાસન વિભાગના પ્રભારી સચિવ જે.એચ.હૈદર સિવિલ એવિયેશન ઓફ સ્ટેટ ના કેપ્ટન અજય ચૌહાણ જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા ડીડીઓ જીન્સી વિલિયમ્સ સીટી સર્વે આધિકારી ગૌરાંગ શાહ ખેતીવાડી અધિકારી નિલેશ ભટ્ટ સહીત ના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ બાબતે વાસન વિભાગના પ્રભારી સચિવ જે.એચ.હૈદરે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને પ્રવાસીઓ માટે સુવિધા ઉભી કરવા એર ટ્રીપ બનાવવામાં આવશે જ્યાં 1 થી 2 કલાક ની હવાઈ કરી શકાય એવી ટ્રીપો બનાવશે આજે ઉડ્યન વિભાગના ઈજનેરોએ મુલાકાત લીધી જગ્યા જોઈ ખુબ વિશાળ જગ્યા છે જેટલો રનવે મળે છે એટલું એરપોર્ટ મોટું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉતરે એવા પ્રયાસો રહેશે.
હાલ રાજ્ય સરકારે કેન્દ્રમાં ફાઈલ મોકલી છે જે કેન્દ્રની પણ મંજૂરી મળી છે ત્યારે આ જગ્યાનો સર્વે થઇ ટેન્ડરિંગ પ્રક્રિયા થશે અને કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાશે અને કેન્દ્ર સરકારની યોજના મુજબ ખુબજ ઓછા દરે સામાન્ય વ્યક્તિ પણ હવાઈ મુસાફરી કરી શકે.