ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ઉચ્ચસ્તરે અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં જ સુરત અને વડોદરા મનપા કમિશનરની પરસ્પર બદલી કરવામાં આવી છે.
વિધાનસભા ચૂંટણી પહેલા 2 મનપા કમિશનરોની બદલી
સુરત અને વડોદરાના મનપા કમિશનરની પરસ્પર બદલી
તાજેતરમાં જ IPS-Dysp અધિકારીઓની કરાઇ હતી બદલી
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં મોટા પાયે ઉચ્ચ અધિકારીઓની ફેરબદલીઓ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ IPS અધિકારીઓની બઢતી અને બદલી બાદ 82 DySPની બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે સુરત અને વડોદરા મનપા કમિશનરની પરસ્પર બદલી કરવામાં આવી છે. સુરતના બંછાનીધી પાનીને વડોદરાના મનપા કમિશનર બનાવાયા છે તો વડોદરાના કમિશનર શાલીની અગ્રવાલને સુરતના મનપા કમિશનર બનાવાયા છે.
BIG BREAKING | સુરત અને વડોદરામાં મનપા કમિશનરની બદલી, સુરતના બંછાનીધી પાનીનું વડોદરા જ્યારે વડોદરાના શાલીની અગ્રવાલનું સુરતમાં ટ્રાન્સફર#BigBreaking#Surat#Vadodara
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 1, 2022
તાજેતરમાં જ IPS-SPS અધિકારીઓ સહિત 82 DySPની કરાઇ હતી બદલી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી પહેલા મોટા પાયે ધરખમ ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ થોડાક દિવસો અગાઉ ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં 82 DySPની બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. એ અગાઉ ગુજરાતમાં IPS અને SPS અધિકારીઓની મોટાપાયે બઢતી અને બદલી કરવામાં આવી હતી.
તાજેતરમાં જ એડિશનલ DGP આર.બી. બ્રહ્મભટ્ટને CIDમાં જવાબદારી સોંપાઈ છે. એમ.ડી જાનીને SRPF ગ્રુપ-6માં બદલી કરાઈ છે. આર.ટી સુસરાને સુરત શહેર ઝોન-1ના DCP બનાવાયા છે. સુધા પાંડેની SRPF ગ્રુપ 13માં બદલી કરવામાં આવી છે. એસ.વી પરમારને રાજકોટ ઝોન-1ના DCP બનાવાયા છે. ઉષા રાડાને સુરત ઝોન-3ના DCP તરીકે બદલી કરાઈ છે. અજીત રજિયાનને અમદાવાદમાં સાયબર ક્રાઈમના નવા DCP બનાવાયા છે. પ્રવિણ કુમારની આણંદના નવા પોલીસ વડા તરીકે બદલી કરાઈ છે. સુરત ઝોન-6ના DCP તરીકે બી.આર પટેલને જવાબદારી સોંપાઈ છે.
22 IPS અને SPS અધિકારીઓના કરાયા હતા ટ્રાન્સફર અને પ્રોમશન
IPS અને SPS અધિકારીઓના ટ્રાન્સફર અને પ્રમોશન કરવામાં આવ્યા હતા. 19 IPS અને 3 SPS અધિકારીઓના ટ્રાન્સફર અને પ્રમોશન કરવામાં આવ્યા હતા. જે 82 Dyspની બદલી કરવામાં આવી હતી તેમાં એચ.કે.વાઘેલાની પાટણથી ગાંધીનગર બદલી કરાઈ છે. તો ડી.ડી ચૌધરીની ભાવનગરથી પાટણ બદલી કરવામાં આવી છે. જ્યારે એમ.કે.રાણા VIP સિક્યોરિટી ગાંધીનગર ખાતે બદલી, સી.સી.ખટ્ટાણાની SC-ST સેલ પોરબંદર ખાતે બદલી, સ્મિત ગોહિલ સાબરકાંઠા ખાતે બદલી, અતુલ વાણંદની મહેસાણાથી અમરેલી બદલી, ડી.વી.રાણા L ડિવિઝન અમદાવાદ શહેર ખાતે બદલી અને ડી.એસ પટેલ વિભાગીય પો.અધિકારીની ગાંધીનગર બદલી સહિત કુલ 82 Dyspની બદલી કરવામાં આવી હતી.