ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, એવામાં કોંગ્રેસમાં અનેક બેઠકો પર ફાળવાયેલી ટિકિટને લઈને અંદરોઅંદર વિવાદ થયો છે. ટિકિટને લઈને વિવાદ વકરતા દિલ્હી હાઈકમાન્ડે તાબડતોબ દિલ્હીથી એક ટીમ મોકલી છે
કોંગ્રેસમાં ટિકિટને લઈને અંદરોઅંદર વિખવાદ
નેતાઓની ખેંચતાણનો વિવાદ પહોંચ્યો દિલ્હી હાઈકમાન્ડ સુધી
હાઈ હાઈકમાંડે દિલ્હીથી મોકલી એક ટીમ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસો બાકી રહ્યા છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તબક્કાવાર ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવી રહ્યા છે. દરેક રાજકીય પાર્ટીમાં ઉમેદવારોના નામ જાહેર થયા બાદ વિવાદ સામે આવ્યો છે. ત્યારે હાલ કોંગ્રેસમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસમાં ટિકિટની ફાળવણીમાં નેતાઓની ખેંચતાણનો વિવાદ દિલ્હી હાઈકમાન્ડ પાસે પહોંચ્યો છે. વિવાદને ખાળવા અને ગુજરાતના નેતાઓને સમજાવવા હાઈકમાન્ડે દિલ્હીથી ટીમ મોકલી છે.
હાઈકમાન્ડે દિલ્હીથી મોકલી ટીમ
ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ તમામ પક્ષો ચૂંટણી જીતવા માટે કમર કસી રહ્યા છે. એવામાં કોંગ્રેસમાં ટિકિટની ફાળવણીને લઈને વિવાદ થયો છે. કેટલીક બેઠકો પર વ્યક્તિગત લાભ માટે ટિકિટ ફાળવાઈ હોવાની દિલ્હી સુધી ફરિયાદ થઈ છે. ગુજરાત કોંગ્રેસના 4 સહ પ્રભારીઓ સામે પણ અનેક લોકોએ ફરિયાદ કરી છે. ટિકિટ ફાળવણીમાં નેતાઓની ખેંચતાણનો વિવાદ દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચતા વિવાદને ખાળવા અને ગુજરાતના નેતાઓને સમજાવવા માટે હાઈકમાન્ડે દિલ્હીથી એક ટીમ મોકલી છે.
26 લોકોને લોકસભા બેઠક મુજબ સોંપી જવાબદારી
કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ દિલ્હીથી 26 લોકોને લોકસભા બેઠક મુજબ સોંપી જવાબદારી સોંપી છે. ગુજરાત કોંગ્રેસના 4 સહ પ્રભારીઓ સામે પણ અનેક લોકોએ ફરિયાદ કરી છે. ટિકિટ ફાળવણીમાં પડેલી ગૂંચ ઉકેલવા અને ડેમેજ કંટ્રોલ માટે દિલ્હીથી ટીમ ગુજરાત આવી છે.
શુક્રવારે યોજાઈ હતી મહત્વની બેઠક
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગત શુક્રવારે વિપક્ષ નેતા સુખરામ રાઠવાના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ટિકિટ ફાળવણીમાં પડેલી ગૂંચ ઉકેલવા અને ડેમેજ કંટ્રોલ માટે દિલ્હીથી ટીમ આવી છે. જેમાં અશોક ગેહલોત સહિતના નેતાઓને જવાબદારી સોંપાઈ છે.