કેન્દ્ર સરકારની તમામ કોશિશ હોવા છતાં ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાની સંપૂર્ણ રકમમાંથી 20 ટકા જેટલી રકમ બચે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાંકીય વર્ષમાં કેન્દ્ર સરકારે 75000 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું હતું.
ગયા વર્ષે અંતરિમ બજેટમાં ખેડૂતોને મળ્યો હતો આ લાભ
પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાની 20 ટકા જેટલી રકમ બચે તેવી શક્યતા
મળતી માહિતી અનુસાર યોજનામાં નાણાંકીય વર્ષના અંત સુધીમાં લગભગ 60000 કરોડ રૂપિયા સુધીની રકમ ખર્ચ થઈ શકે છે. આ સાથે જ 15,000 કરોડ રૂપિયા એટલે કે કુલ બજેટના 20 ટકાની રકમ ખર્ચ થયા વિનાની રહી શકે છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આધારે કેન્દ્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષ 2019-20માં 75000 કરોડનું બજેટ નક્કી કર્યું છે. તેમાંથી હાલ સુધીમાં 50,000 કરોડ રૂપિયા પણ ખર્ચ થયા નથી.
કેટલા ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
સરકારનું અનુમાન હતું કે દેશના લગભગ 14.5 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. પણ હાલ સુધીમાં આ યોજનામાં 9.5 કરોડ ખેડૂતોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. યોજનાનો લાભ લગભગ 8.6 કરોડ ખેડૂતોને મળ્યો છે. ખેડૂતોના ઓનલાઈન રજિસ્ટ્રેશનને માટે ખેડૂત સન્માન નિધિ પોર્ટલ શરૂ કર્યા બાદ તેમાં વધારો થયો છે. 17 જાન્યુઆરી 2020 સુધીમાં 9,46,06, 054 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
પશ્ચિમ બંગાળમાં નથી લાગૂ થઈ યોજના
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાલ સુધી પીએમ કિસાન યોજનાને સ્વીકૃતિ આપી નછી. તેના કારણે પશ્ચિમ બંગાળના 68 લાખ ખેડૂતો આ યોજનાના લાભથી વંચિત છે. યોજના શરૂ થયા બાદ અન્ય રાજ્યોની સરકારોએ પણ આ યોજનામાં રસ દેખાડ્યો નથી. તેના કારણે શરૂઆતના સમયમાં તે રાજ્યોના અનેક ખેડૂતોને આ યોજનાના લાભથી વંચિત રહેવું પડ્યું છે.
ડિસેમ્બર 2018થી મળી રહ્યો છે આ લાભ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. ખેડૂતોને આ યોજનાનો લાભ 1 ડિસેમ્બર 2018થી મળી રહ્યો છે. યોજનાની કિસ્ત ગયા વર્ષના માર્ચથી સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. યોજનામાં દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયા 3 ભાગમાં આપવામાં આવે છે.