શીખ ધર્મના લોકો ગુરુ નાનક દેવનો જન્મદિવસ આનંદ સાથે મનાવે છે. શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવની આજે 550મી જન્મજયંતિ છે. નાનક સાહેબનો જન્મ 15 એપ્રિલ 1469ના રોજ પંજાબના તલવંડીમાં થયો હતો જે હાલમાં પાકિસ્તાનમાં ગણાય છે. આ જગ્યાને નનકાના સાહિબના નામે ઓળખવામાં આવે છે. ખાસ તહેવાર પ્રસંગે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં કરવામાં આવે છે ખાસ વ્યવસ્થા અને 2 લાખથી પણ વધારે લોકો અહીં પ્રસાદ લે છે.
550મી ગુરુ નાનક જયંતિએ જાણો આ ખાસ વાતો
સ્વર્ણ મંદિરમાં બને છે આટલા ક્વિન્ટલ ભોજન
ગણવામાં આવે છે દુનિયાનું સૌથી મોટું લંગર
આ રીતે લંગરમાં કરવામાં આવે છે રસોઈની ખાસ વ્યવસ્થા
ગુરુદ્વારામાં લંગર જમવું કોઈ પુણ્યથી ઓછું નથી. ગુરુદ્વારા જ છે જ્યાં કોઈ પણ ભેદભાવ વિના લંગર પ્રસાદ જમાડવામાં આવે છે. દરેક ગુરુદ્વારામાં લંગરની અલગ વ્યવસ્થા હોય છે. કેટલીક જગ્યાએ 18 કલાક તો ક્યાંક 24 કલાક લંગર પ્રસાદની પરંપરા છે. લંગર રસોઈમાં દરેક વ્યક્તિ સમાન રીતે સેવા આપે છે.
શું તમે જાણો છો સ્વર્ણ મંદિરના લંગરમાં કેટલું ખાવાનું બનાવવામાં આવે છે?
સ્વર્ણ મંદિરના લંગરમાં 2 લાખથી વધારે લોકો જમે છે. ધાર્મિક કાર્યક્રમોમાં અહંના લંગરમાં 2-3 લાખ લોતો ભોજન પ્રસાદી મેળવે છે. અહીં 1 દિવસમાં 10 લાખ લોકોના ભોજન પ્રસાદ ખવડાવવાની વ્યવસ્થા છે. ખાસ વાત એ છે કે લંગમાં વહેંચવામાં આવતા ભોજન પ્રસાદનો ખર્ચ અને સામાન ભક્તો દ્વારા જ આપવામાં આવે છે.
અહીં તૈયાર થતી રસોઈમાં 100થી વધુ સ્વયંસેવક ભોજન પીરસે છે અને તેમાં ઉંમરનો કોઈ બાધ રાખવામાં આવતો નથી. 8-80 વર્ષની દરેક વ્યક્તિને અહીં સેવાનો અધિકાર મળે છે.
લંગરને માટે રોજ 100 ક્વિન્ટલ ચોખા અને દરેક ક્વિન્ટલ ચોખા પર 30-30 કિલોથી વધારે દાળ અને શાકનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય હજારો ક્વિન્ટલ ગ્રીન શાક, તેલ, મસાલાનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
રોટલી બનાવવા માટે અહીં 8 મશીનો છે. જેનાથી કામ થોડું સરળ રહે છે. આ સિવાય કેટલીક મહિલાઓ અને પુરુષો હાથથી પણ રોટલીઓ બનાવે છે.
રોટલીઓ બનાવવા માટે રોજ 50 ક્વિન્ટલ લોટ વપરાય છે. એક અનુમાનના આધારે રોજ 2 લાખથી લઈને 3 લાખ જેટલી રોટલીઓ બને છે. આ માટે અહીં 11 મોટા તવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
રજાઓ અને તહેવારોમાં રોટી મેકિંગ મશીનથી રોટલીઓ બનાવવામાં આવે છે. લેબનાનના એક ભક્તે આ મશીન દાનમાં આપ્યું હતું. તેનાથી 1 કલાકમાં 25 હજાર રોટલીઓ બને છે.
આ સિવાય સેંકડો કિલોગ્રામ જલાવનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં 250 કિલોગ્રામ દેશી ઘીનો ઉપયોગ કરવામાં આવે છે.
સ્ટીલની લાખો થાળીઓ, ગ્લાસ અને ચમચીઓ છે. જેનો ઉપયોગ શ્રદ્ધાળુઓ કરે છે અને તેની સફાઈ પણ શ્રદ્ધાળુઓ સ્વેચ્છાથી કરે છે. આ સાથે જ સ્વયંસેવી કાર્યકર્તા પણ વાસણોની સફાઈમાં લાગેલા રહે છે.
અહીં દર કલાકે 30 હજાર કપ ચા તૈયાર કરવામાં આવે છે. આ માટે 6 લોકોની ટીમ કામ કરે છે. ચા માટે 30 કિલોગ્રામ દૂધનો પાઉડરને 300 લીટર પાણીની સાથે મિક્સ કરવામાં આવે છે અને ઉકાળવામાં આવે છે. દૂધ જ્યારે તૈયાર થાય ત્યારે તેમાં 50 કિલો ચા અને ખાંડ નાંખવામાં આવે છે. સ્વયંસેવકો દ્વારા વાટકામાં ચા આપવામાં આવે છે. લોકો તરફથી મળનારા દાન અને ભેટના આધારે અહીં પાણીના કાઉન્ટર પણ લગાવવામાં આવે છે અને લોકોને સસ્તી કિંમતે ચીજો આપવામાં આવે છે.
સામાન્ય વાત કરીએ તો ઘરમાં ખાવાનું બનાવવા માટે રોજ 5 હજાર કિલોગ્રામ લાકડા અને 100થી વધારે એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરાય છે.