છત્તીસગઢના રામનામી સંપ્રદાયમાં રામની આ પ્રકારે ભક્તિ ભાગ્યે જ જોવા મળે છે. અહીં લોકો રામનું નામ તેમના આખા શરીર પર લખે છે. આ તેમની સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હવે તમે વિચારી શકો છો કે અહીં લોકો શા માટે આવું કરે છે? તો ચાલો તેનું કારણ કહીએ...
છત્તીસગઢમાં જાંજગીર-ચાંપાના નામના એક ગામ, ચાપારામાં એક દલિત યુવક પરશુરામે 1890 ની આસપાસ રામનામી સંપ્રદાયની સ્થાપના કરી હતી. 100 થી વધુ વર્ષોથી, છત્તીસગઢના રામનામી સમાજમાં એક અનન્ય પરંપરા છે.
ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢનો રામનામી સંપ્રદાય પોતાના સમગ્ર શરીર પર રામનામ ચિતરાવે છે. રામનામ લખેલાં કપડાં પહેરે છે. ઘરોની દીવાલો પર પણ રામનામ ચિતરાવે છે. આ સમાજના લોકો જ્યારે પણ એકબીજાને મળે છે, ત્યારે પણ રામ-રામ કહીને જ એકબીજાનું અભિવાદન પણ કરે છે.
આ સાથે જ એકબીજાને રામનામથી જ બોલાવવાનું છે, પરંતુ આશ્ર્ચર્ય થાય છે ત્યારે જ્યારે આપણને ખબર પડે છે કે પોતાના અંગેઅંગમાં રામનામ સમાવીને બેઠેલો આ સમાજ ન તો અયોધ્યાના રામને માને છે કે, ન મંદિરોમાં રાખેલી રામની પ્રતિમાઓને નમન કરે છે. આ સમાજમાંથી આવતા લોકો કહે છે કે, અમારો રામ તો દરેક મનુષ્યમાં, વૃક્ષો, જીવ-જંતુ, પ્રાણી અને સમસ્ત પ્રકૃતિમાં સમાયેલો છે.