ફિલ્મોમાં મોટાંભાગે જોયું હશે કે ફાંસીની સજા સાંભળ્યા પછી જજ સાહેબ પેનની નિબ તોડી દે છે. શું તમને ખબર છે કે આવું કેમ કરવામાં આવે છે. સજા આપતા પહેલા દિવસે જલ્લાદ કેદીના કાનમાં શું કહે છે? જે ફંદાથી કેદીને લટકાવવામાં આવે છે તેને કોણ બનાવે છે?
ભારતીય કાનૂનમાં ફાંસી સોથી મોટી સજા છે. સુપ્રિમ કોર્ટે 1983માં કહ્યું હતું કે 'Rarest of the rare' મામલાઓમાં જ ફાંસીની સજા આપી શકાય છે. નિચલી અદાલતોમાં ફાંસીની સજા મળ્યા પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટ પણ ફાંસીની સજા ઉપર મુહર લગાવી દે તો પછી રાષ્ટ્રપતિથી દયાની અપીલ કરી શકાય છે. જો રાષ્ટ્રપતિ પણ અપીલને ખારિજ કરી દે તો ફાંસી આપી શકાય છે.
સુનવણી પછી જ્યારે જજ ફાંસીની સજા સંભળાવે છે ત્યારે નિર્ણય લીધા પછી પેનની નિબ તોડી દેવામાં આવે છે કારણ કે એકવાર નિર્ણય લખાય ગયા પછી જજને પણ અધિકાર નથી કે તે નિર્ણયને બદલી શકે. એવું માનવામાં આવે છે જે પેનથી કોઇનું જીવન પૂર્ણ થયું હોય એટલાં માટે તેનો ઉપયોગ બીજીવાર ન થવો જોઇએ.
કેદીને જે ફંદા ઉપર લટકાવવામાં આવે છે તે માત્ર બિહારના બક્સર જેલમાં થોડાં કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. અંગ્રેજોના સમયગાળાથી આવી વ્યવસ્થા ચાલી રહી છે. મનીલા રસ્સીથી ફાંદીનો ફંદો બનાવવામાં આવે છે. જોકે બક્સર જેલમાં એક મશીન છે જેની મદદથી ફાંસીનો ફંદો બનાવવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ પ્રમાણે જે કેદીને ફાંસી આપવામાં આવે છે તેમના ઘરના લોકોને ફાંસીની તારીખથી 15 દિવસ પહેલાં સમાચાર આપવાં જરૂરી છે.
ફાંસી આપતી વખતે જલ્લાદ કેદીના કાનમાં કંઈક આવું કહે છે 'મને માફ કરી દો. હું હુક્મનો ગુલામ છું. મારાં હાથમાં હોત તો હું તમને જીવન આપીને સત્યના માર્ગ ઉપર ચાલવાની કામના કરતો'
છેલ્લી ઇચ્છા પૂછ્યાં વિના કોઇપણ કેદીને ફાંસી આપવામાં આવતી નથી.