હાલ PF પર મળતા વ્યાજદક ઘણા દશકોથી સૌથી નિચલા સ્તર પર છે. EPFOએ 2021-22 માટે પીએફના વ્યાજદર 8.1 ટકા નક્કી કરી છે. આ 1977-78 બાદ પીએફ પર વ્યાજનો સૌથી ઓછો રેટ છે.
નક્કી થયો પીએફ પર વ્યાજનો નવો રેટ
એક દશકમાં સૌથી નિચલા સ્તર પર PFનું વ્યાજ
જાણે તેના વિશે વિગતે
પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરનાર કરોડો લોકોને જલ્દી જ ઈપીએફઓની ગિફ્ટ મળવાની છે. હકીકતે PF પર મળતા વ્યાજ પહેલા જ નક્કી થઈ ચુક્યા છે. હવે તેના પર ફક્ત નાણામંત્રાલયની મહોર લગાવવાની બાકી છે. ત્યાર બાદ ગમેત્યારે ઈપીએફઓના મેમ્બર્સને પીએફ ખાતામાં વ્યાજ ક્રેડિટ કરવામાં આવી શકે છે.
નથી થયું ઓફિશ્યલ અનાઉન્સમેન્ટ
રિપોર્ટ અનુસાર સરકાર આવતા મહિનાના અંત સુધી એટલે કે 30 જૂન પહેલાથી ગમેત્યારે પીએફ ખાતાધારકોને વ્યાજના પૈસા ટ્રાન્સફર કરી શકે છે. જોકે હાલ તેના વિશે ન તો ઈપીએફઓની તરફથી કોઈ ઓફિશ્યલ નિવેદન આવ્યું છે અને ન તો સરકારે કોઈ જાહેરાત કરી છે.
PF પર મળતા વ્યાજનો રેટ નક્કી થઈ ચુક્યો છે એવામાં લોકો આશા કરી રહ્યા છે કે હવે જલ્દી જ તેમના ખાતામાં વ્યાજના પૈસા પણ ક્રેડિટ થઈ જાય. તેનાથી ઈપીએફઓના સાડા છ કરોડથી વધારે સબ્સક્રાઈબર્સને ફાયદો મળશે.
હાલ આટલું ઓછુ મળી રહ્યું છે વ્યાજ
હાલ PF પર મળતા વ્યાજની રેટ ઘણા દશકોના સૌથી નિચલા સ્તર પર છે. EPFOએ 2021-22 માટે પીએફના વ્યાજના દર 8.1 ટકા નક્કી કર્યા છે. આ 1977-78 બાદ PF પર વ્યાજના સૌથી ઓછા રેટ છે. આ પહેલા 2020-21માં પીએફ પર 8.5 ટકા વ્યાજ મળતું હતું. ફિસ્કલ યર 2020-21માં પીએફના વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. તેનાથી એક વર્ષ પહેલા 2019-20માં આ વ્યાજ દરને 8.26 ટકા ઘટાડીને 8.5 ટકા કરી દેવામાં આવ્યો હતો.