દરરોજ 100 રૂપિયાની બચત કરીને ભેગા કરો 15 લાખ રૂપિયા
પોસ્ટ ઓફિસ અથવા બેંકોમાં ઓપન કરી શકાય છે SSY એકાઉન્ટ
કેન્દ્ર સરકારે જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સાથે, હવે સુકન્યા સમૃદ્ધિ યોજના પર પણ છેલ્લી ત્રિમાસિક નાની બચત યોજનાઓના જેટલું જ વ્યાજ મળી રહ્યું છે. સુકન્યા સમૃદ્ધિ યોજના એ કેન્દ્ર સરકારની બચત યોજનાઓમાંથી એક છે. જેમાં ચોક્કસ વય સુધી પુત્રીઓ માટે ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેંટ કરી શકાય છે. આ ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેંટ ઇન્કામ ટેક્સ એક્ટ 80C હેઠળ ઉપલબ્ધ છે.
એક વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીના ઇન્વેસ્ટમેંટ પર ટેક્સ ફ્રી સુવિધા ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે દ્વારા વર્ષ 2015માં SSY શરૂ કરવામાં આવી હતી. જેથી દિકરીઓના શિક્ષણ, લગ્ન અને અન્ય ખર્ચ માટે મૂડી ભેગી કરી શકાય. અન્ય યોજનાઓની તુલનામાં, સુકન્યા સમૃદ્ધિ યોજના વધુ સારા વ્યાજ દર પણ આપી રહી છે. જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન, આ યોજના પર વાર્ષિક 7.6 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. તેના પર મળેલ વ્યાજ કમ્પાઉંડ પણ થાય છે.
30 સપ્ટેમ્બર પહેલા રોકાણ શરુ કરવા પર 7.6 ટકાના વ્યાજનો લાભ
જો આ યોજનામાં યોગ્ય રીતે રોકાણ કરવામાં આવે તો પુત્રી માટે મોટી મૂડી ભેગી શકાય છે. કેન્દ્ર સરકારે SSY વિશેની માહિતીમાં જણાવ્યું છે કે જો તમે 30 સપ્ટેમ્બર પહેલા આ યોજનામાં રોકાણ કરો છો, તો દીકરીની પુખ્ત વય પર તમે 15 લાખ રૂપિયા જેટલી મોટી મૂડી ભેગી કરી શકશો. ધ્યાનમાં રાખો કે મૂડીની રકમ ફક્ત તે જ વ્યક્તિને ચૂકવવામાં આવશે જેના નામે આ યોજનામાં રોકાણ કરવામાં આવ્યું છે.
દરરોજ 100 રૂપિયાની બચત કરીને ભેગા કરો 15 લાખ રૂપિયા
જો કોઈ વ્યક્તિ આ યોજનામાં દર મહિને 3,000 રૂપિયાનું રોકાણ કરે છે, તો પછી એક વર્ષમાં તેના દ્વારા રોકાણ કરવામાં આવેલી કુલ રકમ 36,000 રૂપિયા થઈ જશે. 14 વર્ષ સુધી રોકાણ કર્યા પછી, તે વ્યક્તિને વાર્ષિક 7.6 ટકાના દરે 9,87,637 રૂપિયા વ્યાજની રકમ મળશે. આ યોજનાના નિયમ હેઠળ, પુત્રીની 21 વર્ષની વય પર જ સુકન્યા સમૃદ્ધિ ખાતાની મેચ્યોરીટી પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં, પુત્રીની ઉંમરના 21 વર્ષ પૂરા થવા પર તમને 15,27,637 રૂપિયા મળી શકે છે.
આ યોજનામાં રોકાણની મર્યાદા કેટલી છે?
સુકન્યા સમૃદ્ધિ યોજના માટે, તમે કોઈપણ બેંક અથવા પોસ્ટ-ઓફિસમાં એકાઉન્ટ ઓપન કરી શકો છો. આ યોજનામાં, તમે એક વર્ષ દરમિયાન ઓછામાં ઓછું 250 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ યોજનાના નિયમો અનુસાર દર વર્ષે લઘુત્તમ રકમનું રોકાણ ન કરવામાં આવે તો એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે.
કોણ ઓપન શકે છે સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ?
ભારતનો કોઈપણ નાગરિક તેની દિકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ ઓપન કરી શકે છે.
આ એકાઉન્ટ 10 વર્ષથી ઓછી વયની દિકરી માટે ઓપન શકાય છે.
18 વર્ષની વય પછી દિકરી સ્વતંત્ર રીતે આ એકાઉન્ટનું સંચાલન પોતાની રીતે કરી શકે છે.
આ એકાઉન્ટમાં 15 વર્ષના સમયગાળા સુધી રોકાણ કરી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ મહત્તમ બે દિકરીઓ માટે જ ખોલવામાં આવી શકે છે.
કેવી રીતે ઓપન કરવું સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ એકાઉન્ટ?
માતાપિતા અથવા કાયદાકીય રીતે બનેલા વાલી કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેંકોમાં દિકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ ઓપન કરાવી શકે છે. આ માટે તમારે ફોર્મ ભરવાનું રેહશે અને તમારી KYC ડીટેલ્સ પણ આપવાની રેહશે. દિકરીના બર્થ સર્ટીફીકેટની કોપી પણ ફોર્મ સાથે જ સબમિટ કરવાની રહેશે. તમામ પ્રકારની ડીટેલ્સને વેરીફાઈ કર્યા બાદ એકાઉન્ટ હોલ્ડરના એડ્રેસ પર એક પાસબૂક મોકલવામાં આવશે. NRI સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લઈ શકતા નથી.