રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તમામ સરકારી ખાનગી બેંકો અને નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓને આદેશ આપ્યો છે કે વ્યાજ પર વ્યાજ માફીની યોજનાને 5 નવેમ્બર 2020માં લાગુ કરી દેવામાં આવે. હકિકતમાં કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે 2 કરોડ રુપિયાની લોન પર 6 મહિના સુધી મોરેટોરિયમ સુવિધા લેનારા લોકો પર વ્યાજ પર વ્યાજ માફ કરી દેવાશે. નાણા મંત્રાલયના નાણા સેવા વિભાગના જણાવ્યાનુસાર 2 કરોડ રુપિયા સુધીની લોન અકાઉન્ટ પર લેણદારોને વ્યાજ પર વ્યાજ માફીમાં રાહત અપાશે.
2 કરોડ રુપિયા સુધીની લોન અકાઉન્ટ પર વ્યાજ પર વ્યાજ માફી
લોન પર 6 મહિના સુધી મોરેટોરિયમ સુવિધા લેનારાને રાહત
યોજનાને 5 નવેમ્બર 2020માં લાગુ કરી દેવામાં આવે
નાણા સેવા વિભાગના જણાવ્યાનુંસાર લેણદારોના કમ્પાઉન્ડ ઈન્ટ્રેસ્ટ અને સાધારણ ઈન્ટરેસ્ટના અંતરની રકમ તમારા લોન અકાઉન્ટમાં ક્રેડિટ કરશે. આ રકમ 1 માર્ચ 2020 થી લઈ 31 ઓગસ્ટ 2020ની વચ્ચે લોન મોરેટોરિયમના સમય માટેની હશે. લોન અકાઉન્ટમાં આ રકમ ક્રેડિટ કર્યા બાદ ઉધારકર્તાઓની પાસે 15 ડિસેમ્બર 2020 સુધી સરકાર પાસે ભરપાઈ માટે દાવો કરવાની તક મળશે. હવે આરબીઆઈએ તમામ બેંકોને 5 નવેમ્બર સુધી અકાઉન્ટમાં લોન અમાઉન્ટ ક્રેડિટ કરવા કહ્યું છે.
સાથે જ આ યોજના હેઠળ હોમ લોન, એજ્યુકેશન લોન, ક્રેડિટ કાર્ડ બિલ, વાહન લોન, એમએસએમઇ લોન, ગ્રાહક ડ્યૂરેબલ લોન ધારકોને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહમારીને કારણે RBIએ 6 મહિના માટે લોન મોરટોરિયમની સુવિધા આપી હતી. આમાં એમએસએમઈ, એજ્યુકેશન, હોમ, ક્રેડિટ કાર્ડ, વાહન અને પર્સનલ લોન જેવી લોનની કેટેગરીમાં આમાં આવશે.વ્યાજ પર વ્યાજની ચૂકવણીથી સરકારને લગભગ 5500 કરોડનો બોઝો પડશે. 29 ફેબ્રુઆરી 2020 અથવા આ પહેલા 2 કરોડ રુપિયા સુધી લોન લેનારાને આ યોજનાનો લાભ મળશે.