રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દરેક સરકારી અને પ્રાઇવેટ બેન્ક અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને આદેશ આપ્યો છે કે વ્યાજ પર વ્યાજ માફી યોજનાને 5 નવેમ્બર 2020થી લાગૂ કરી દેવામાં આવશે.
RBIનો મહત્વનો નિર્ણય
ચક્રવૃદ્ધિ વ્યાજ પર મળશે રાહત
શરતો લાગૂ
કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે તે 2 કરોડ રૂપિયા સુધી લોન પર 6 મહિના સુધી મોરેટોરિયમ સુવિધા લેવા વાળા લોકો પર લગાવેલ વ્યાજ પરના વ્યાજને માફ કરી દેવામાં આવશે. નાણામંત્રાલયના નાણા સેવા વિભાગ અનુસાર 2 કરોડ રૂપિયા સુધીની લોન અકાઉન્ટ પર લેણદારોને વ્યાજ પર વ્યાજ માફી ની રાહત આપવામાં આવશે.
કમ્પાઉન્ડ ઇન્ટ્રેસ્ટ અને સાધારણ વ્યાજના અંતરની રકમ તમારા લોન અકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવશે. આ રકમ 1 માર્ચ 2020થી લઇને 31 ઓગસ્ટ 2020 વચ્ચે લોન મોરેટોરિયમની અવધિ દરમિયાન માટે જ હશે.
કેન્દ્ર સરકારની આ યોજના દરેક ઉધાર આપવાવાળી સંસ્થાઓ પર લાગૂ થશે. આમાં દરેક સરકારી તેમજ પ્રાઇવેટ બેન્ક, હાઉસિંગ કંપની, સહકારી બેન્ક, ક્ષેત્ર ગ્રામિણ બેન્ક વગેરે સામેલ છે. આ યોજના આઠ પ્રકારની લોન પર લાગૂ થશે.
29 ફેબ્રુઆરી 2020 અથવા તેનાથી પહેલા 2 કરોડ રૂપિયાની લોન લેવાવાળા લોકોને આ યોજનાનો ફાયદો થશે.
ફાઇનાન્સ વિભાગ તરફથી આપવામાં આવેલ લેટરમાં યોજનાના ફાયદા લેવાની શર્તો રાખવામાં આવી છે. જેમકે 29 ફેબ્રુઆરી 2020 સુધી તમારી લોન અકાઉન્ટ સ્ટાન્ડર્ડ હોવી જોઇએ.