પંજાબ અને એની આસપાસના વિસ્તારમાં આતંકવાદીઓના એક મોટા સમૂહે ઘૂસણખોરી કરી છે. સુરક્ષાબળોને ચેતવણી આપી છે કે આતંકી રક્ષા ઠેકાણાં પર હુમલો કરવા જઇ રહ્યા છીએ. ઇનપુટ બાદ પઠાણકોણ, જમ્મૂ, શ્રીનગર સહિત રક્ષા ઠેકાણને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
ગુપ્ત ઇનપુટ મળ્યા બાદ પઠાણકોટ, જમ્મૂ, શ્રીનગર અને અવંતિપુરા રક્ષા ઠેકાણા પર એલર્ટ
આર્ટિકલ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન ગુસ્સે છે, સતત મોકલી રહ્યું છે આતંકી
જમ્મૂ અને કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી આતંકી હુમલાના ફિરાકમાં છે. ગુપ્ત એજન્સીઓને જાણકારી મળી છે કે પંજાબ અને એની આસપાસના ક્ષેત્રમાં આતંકવાદીઓના એક મોટા સમૂહે ઘૂસણખોરી કરી છે.
સુરક્ષા બળોને બુધવારે સવારે મળેલા ઇનપુટમાં ચેતવણી આપવામાં આવી હતી કે આતંકી રક્ષા અડ્ડાઓ પર હુમલા કરવા જઇ રહ્યા છે. ઇનપુટ બાદ પઠાણકોટ, જમ્મૂ, શ્રીનગર અને અવંતિપુરા રક્ષા ઠેકાણાની આસપાસ સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી છે.
આ પહેલા વર્ષ 2016માં પઠાણકોટ એરબેઝ પર પાકિસ્તાની આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલાને જેશ એ મોહમ્મદના ચાર આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો. તમને જણાવી દઇએ કે જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન ગુસ્સે છે. એ ગમે ત્યારે સીમા પારથી ફાયરિંગ કરે છે, તો ક્યારેક ખૂંખાર આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનો પ્રયત્ન કરે છે.
પાકિસ્તાએ જમ્મૂ કાશ્મીર મામલાને સંયુક્ત રાષ્ટ્ર મહાસાભા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ ઊઠાવી ચુક્યુ છે, પરંતુ એમને વૈશ્વિક મંચ પર પણ કોઇનો સાથ મળ્યો નહીં.