ભારતીય ગુપ્તચર એજન્સીએ એલર્ટ કરતા કહ્યું છે કે રામમંદિરના ભૂમિ પૂજન ઉપરાંત 15મી ઓગસ્ટ અને જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવાની વર્ષગાંઠ પર આતંકવાદી હુમલાની આશંકા છે. લશ્કર અને જૈશેના આતંકવાદીઓ આ માટે અફગાનિસ્થાનમાં વિશેષ ટ્રેનિંગ લઈ ચૂક્યા છે. એલર્ટને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે.
અયોધ્યામાં મોદી, અડવાણી, જોશી સહિત મોટા ભાજપના નેતા ભાગ લેશે
લશ્કર અને જૈશેના આતંકવાદી કરી શકે છે અયોધ્યા પર હુમલો
અયોધ્યા, દિલ્હી અને જમ્મુ કાશ્મીરની સુરક્ષા પર વિશેષ ધ્યાન
રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને જોર સોરથી તૈયારીઓ થઈ રહી છે. આ કાર્યક્રમમમાં પીએમ મોદી સહિત અનેક વીવીઆઈપીઓ અતિથિ બનશે. આ સમારોહમાં આતંકવાદી હુમલાનું સંકટ તોળાઈ રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ આતંકવાદી હુમલાની તૈયારી કરી છે. લશ્કર અને અને જૈશેના આતંકવાદીઓએ આ માટે ટ્રેનિંક લીધી છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યુ છે.
મીડિયા રિપોર્ટ મુજબ રામમંદિરના ભૂમિ પૂજન ઉપરાંત 15મી ઓગસ્ટ અને જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવાની વર્ષગાંઠ પર આતંકવાદી હુમલાની આશંકા છે. આ માટે જૈશેના આતંકવાદીઓ આ માટે અફગાનિસ્થાનમાં વિશેષ ટ્રેનિંગ લઈ ચૂક્યા છે.
અયોધ્યામાં મોદી, અડવાણી, જોશી સહિત મોટા ભાજપના નેતા ભાગ લેવા આવી રહ્યા છે. અનેક રાજ્યના સીએમ પણ ભાગ લેશે. જેના કારણે સુરક્ષાનો સજ્જડ બંદોબસ્ત કરવામાં આવશે.