ભારત-પાકિસ્તાન બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ ‘ઓપરેશન સર્દ હવા’ શરૂ કર્યું છે. તેના માટે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, અને ગુજરાતની બોર્ડર પર 15 દિવસનું એલર્ટ રજૂ કરાયું છે. કોઇપણ પ્રકારના આતંકી હુમલાને ઉકેલવા માટે બીએસએફ એ બોર્ડર પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે.
26 જાન્યુઆરીને BSFએ આપ્યું સરહદી વિસ્તારમાં અલર્ટ
ગુજરાત બોર્ડર માટે BSFએ જાહેર કર્યુ અલર્ટ
જમ્મૂ કશ્મીર,પંજાબ,રાજસ્થાન સરહદ માટે પણ અલર્ટ
26 જાન્યુઆરીએ કોઇ અપ્રિય આંતકી ઘટના ન બને આ કારણથી BSFએ દેશની બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે. તેમજ સમગ્ર દેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે. BSFએ 15 દિવસનું એલર્ટ આપ્યું છે. કોઇપણ આતંકી ઘટનાને પહોંચી વળવા માટે BSFએ બોર્ડર પર ટૂપ્સની સંખ્યા વધારી દીધી છે.
ગુપ્ત એજન્સીને મળેલી માહિતી મુજબ 6 રીતે આતંકી ભારત પર હુમલો કરી શકે છે. પાકિસ્તાન અફઘાની અને તાલિબાની આતંકીઓની ભારતમાં ઘૂસણખોરી કરાવી શકે છે. પાકિસ્તાન આતંકી ડ્રોન દ્રારા હથિયાર મોકલી શકે છે.
BSFના સૂત્રના જણાવ્યાં મુજબ આતંકી કમાન્ડર પાર આર્મી અને ISIની મદદથી પ્રી પ્રોગ્રામ્ડ ડ્રોન ઉપયોગ હથિયાર મોકલવા માટે કરી શકે છે. આ તમામ શક્યતાને જોતા બીએસએફએ સરહદી સીમા પર સુરક્ષા વધારી દીધી છે.
પાકિસ્તાન બોર્ડર પરથી 6 પ્રકારે આતંકી હુમલાની દહેશત
પાકિસ્તાન અફઘાની અને તાલિબાની આતંકીઓની ઘૂસણખોરી કરાવી શકે છે
પાકિસ્તાન ડ્રોન દ્વારા હથિયાર મોકલી શકે છે
પંજાબ-રાજસ્થાનમાં સ્મગરલો દ્વારા ખાલિસ્તાન સમર્થકોને પહોંચાડી શકે છે હથિયાર
ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ, અટારી બોર્ડર, હસૈનીવાલા બોર્ડર અને કરતારપુર કોરિડોર પર એલર્ટ
જમ્મૂના 13 નાના નાળા અને 3 મોટી નદીઓમાં એલર્ટ વધારી દીધુ
ગુજરાતના હરામીનાળાના વિસ્તારમાંથી લશ્કરના આતંકી ઘૂસણખોરી કરે તેવી શક્યતા જણાવી.