કોરોનાની ત્રીજી લહેરની ચિંતાને લઈને 185થી વધારે બુદ્ધિજીવીઓએ વિપક્ષી પાર્ટીઓને ખુલ્લો પત્ર લખ્યો છે.
બુદ્ધિજીવીઓએ વિપક્ષી પાર્ટીઓને ખુલ્લો પત્ર લખ્યો
નદીઓમાં લાશોના તરવાનો કર્યો ઉલ્લેખ
કેન્દ્રએ નથી તૈયાર કરી ટાસ્ક ફોર્સ
બુદ્ધિજીવીઓએ વિપક્ષી પાર્ટીઓને ખુલ્લો પત્ર લખ્યો
દેશમાં કોરોનાની બીજી લહેર ભલે ધીમી પડતી દેખાઈ રહી હોય પરંતુ મહામારીની ત્રીજી લહેરને લઈને દરેક ચિંતાતૂર છે. હવે ઈતિહાસકાર રોમિલા થાપર અને ઈરફાન હબીબ તથા અર્થશાસ્ત્રી કૌશિક બસુ સહિત 185થી વધારે બુદ્ધિજીવીઓએ વિપક્ષી પાર્ટીઓને ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં વિપક્ષી દળોને અપીલ કરી છે કે તે પોતાના પ્રભાવનો ઉપયોગ એ સુનિશ્ચિત કરવા માટે કરે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મહામારીની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તૈયારી રાખે.
નદીઓમાં લાશોના તરવાનો કર્યો ઉલ્લેખ
પત્રમાં કહેવામાં આવ્યુ છે કે લાખો ભારતીય પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓ જેમ કે હોસ્પિટલ, બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન, જરુરી દવાઓ, એમ્બ્યુલન્સ વગેરેનો ઉપયોગ કરવા માટે હાથ પગ મારી રહ્યા છે. પત્રમાં બીજી લહેર દરમિયાન રસ્તા પર લાશો અને નદીઓમાં લાશોના તરવાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે તે ઘટનાઓની તસવીરોએ દુનિયાના મનને હચમચાવી નાંખ્યું છે. તેમણે કહ્યુ કે એ જોવાનું સુખદ છે કે મહામારીની વચ્ચે મોટાભાગની પાર્ટીઓ લોકોના હિતમાં દળની સીમા પાર જઈને કામ કરવા ઈચ્છુક છે.
કેન્દ્રએ નથી તૈયાર કરી ટાસ્ક ફોર્સ
નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્ર સરકારની સાથે સહયોગ કરવા માટે મળીને કામ કરવાની ભલામણ બાદ પણ ભારત સરકારે ન તો સલાહોનું સ્વાગત કર્યુ ન તો વાસ્તવમાં એવું કાર્ય બળ તૈયાર કર્યુ, જેમાં તમામ પાર્ટીઓ, રાજ્ય સરકારો, વિશેષજ્ઞો અને સિવિલ સોસાઈટીના લોકો સાથે મળીને આ સંકટને પહોંચી વળે.
હસ્તાક્ષર કરનારા લોકોમાં ખ્યાતનામ લોકો સામેલ
આ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં મેગ્સેસ પુરસ્કારથી સન્માનિત અને કાર્યકર્તા વિજવાડા વિલ્સન, એમનેસ્ટી ઈન્ટરનેશનલના પૂર્વ મહાસચિવ સલિલ શેટ્ટી, વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના પૂર્વ અધ્યક્ષ સુખદેવ થોરાટ, યૂપીએસસીને પૂર્વ સભ્ય પુરુષોત્તમ અગ્રવાલ અને જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય, ન્યૂયોર્ક યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ સિયેના(ઈટલી, યુનિવર્સિટી ઓફ સાઉ પાઉલો, યુનિવર્સિટી ઓફ પેનસિલ્વેનિયા અને પ્રિન્સટન યુનિવર્સિટીના શિક્ષક છે.