દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ, બુદ્ધિજીવીઓ અને એક્ટિવિસ્ટોએ દેશના વર્તમાન આર્થિક, સ્વાસ્થ્ય અને માનવીય સંકટથી બહાર નીકાળવા માટે તમામ લોકોની સ્થાયિ-અસ્થાયિ ખાનગી સંપત્તિ પર સરકારી કબ્જો કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે દેશના લોકો પાસે રહેલા વર્તમાન સંસાધનો જેમકે, રોકડ, રિયલ એસ્ટેટ, સંપત્તિ, બૉન્ડ વગેરે દેશના સંસાધનોને આ સંકટ દરમિયાન રાષ્ટ્રીય સંસાધન માનવા જોઇએ.
જાણીતા અર્થશાસ્ત્રીઓ, બુદ્ધિજીવીઓએ મિશન જય હિન્દ હેઠળ 7 પોઇન્ટ એક્શન પ્લાનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે
પ્રવાસીઓને 10 દિવસમાં ઘરે પહોંચાડવામાં આવે, રાશનકાર્ડ પર દરેક સભ્યને દર મહીને 10 કિલો અનાજ અપાય
આ બુદ્ધિજીવીઓનું કહેવું છે કે સરકારે જે આત્મનિર્ભર ભારત પેકેજ જાહેર કર્યું છે, તેમા સામાન્ય લોકોની જરૂરિયાતો પ્રત્યે આંખ આડા કાન કર્યા છે. તેમણે મિશન જય હિન્દ હેઠળ 7 પોઇન્ટ એક્શન પ્લાનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે અને સરકારને તેના પર અમલ કરવાની માંગ કરી છે.
આ માંગ કરનારમાં ઇતિહાસકાર રામચંદ્ર ગુહા, રાજામોહન ગાંધી, અભિજીત સેન, યોગેન્દ્ર યાદવ સહિત 24 જાણિતા બુદ્ધિજીવી સામેલ છે. તેને વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને એક્ટિવિસ્ટ કંચન ગુપ્તાએ તેને ટ્વિટર પર શૅર કર્યો છે.
Abhijit Sen leads #Left 'economists, intellectuals and activists', including @Ram_Guha, in calling on Government of India to seize all private property and wealth. See 7.1 for details. Thank you @_YogendraYadav (also a signatory) for publishing this important document. pic.twitter.com/ccxQYVik4d
તેમની માંગ છે કે સરકારે પ્રવાસીઓને 10 દિવસની અંદર પોતાના ઘરે જવા મદદ કરવી જોઇએ. તેમને ઘરે પહોંચાડવા માટે વ્યવસ્થા કરવી જોઇએ તથા ટ્રેન, બસોનું ભાડુ આપવું જોઇએ. રાજ્ય સરકારોએ પોતાના રાજ્યની અંદર તેમને ઘરે પહોંચાડવાની જવાબદારી લેવી જોઇએ. સ્થાનીય તંત્રે તાત્કાલિક તેમને ભોજન, પાણી અને આશ્રયની વ્યવસ્થા કરવી જોઇએ.
યૂનિવર્સલ અને મફત હેલ્થ કેર સુવિધા
કોરોના વાયરસના દર્દીઓ, ફ્રન્ટલાઇન વર્કરો અને તેમના પરિવારોને યૂનિવર્સલ અને ફ્રી હેલ્થ કેર સુવિધા મળવી જોઇએ, તથા કોરોના લક્ષણ વાળા દર્દીઓની ફ્રી તપાસ થવી જોઇએ. ફ્રન્ટલાઇન વર્કરો અને તેમના પરિવારજનોને એક વર્ષનું મેડિકલ અને ઇકોનોમિક કવર મળવું જોઇએ.
રાશનકાર્ડ પર દરેક સભ્યને દર મહીને 10 કિલો અનાજ
રાશનકાર્ડમાં સામેલ દરેક સભ્યને દર મહીને 10 કિલો અનાજ, 1.5 કિલો દાળ, 800 મિલી ખાદ્ય તેલ, 500 ગ્રામ ખાંડ મળવી જોઇએ. રાશન કાર્ડમાં વધુ નામ જોડવા જોઇએ અથવા ઇમરજન્સીમાં રાશન કાર્ડ ઉપલબ્ધ કરાવવું જોઇએ. સૌને રાશન કાર્ડ મળે ત્યા સુધી સ્કૂલોમાં લંગર ચલાવામાં આવે.
દરેક પરિવારને વર્ષમાં 200 દિવસ કામ
શહેર-ગ્રામીણ વિસ્તારોમાં જોબ ગેરન્ટી વધારવામાં આવે. મનરેગા હેઠળ દરેક પરિવારને વર્ષમાં 200 દિવસ કામની ગેરન્ટી અપાય. શહેરોમાં દરેક વ્યક્તિને 100 દિવસ ગ્રીન જોબની ગેરન્ટી મળવી જોઇએ તથા તેના માટે 400 રૂપિયા રોજિંદી મજૂરી મળવી જોઇએ. મનરેગા કાર્ડ ધારક મજૂરોને લૉકડાઉનને કારણે 30 દિવસ કામ ન મળવા પર વળતર મળવું જોઇએ.
નોકરી જવા પર વળતર આપવું
ઇપીએફમાં રજિસ્ટ્રર થયેલા કર્મચારીને નોકરી જવા પર વળતર મળવું જોઇએ. દબાણમાં રહેલી કંપનીઓને વ્યાજમુક્ત લોન મળવી જોઇએ, જેથી કર્મચારીઓને આંશિક વેતન આપી શકે. સરકારે એ MSME કંપનીઓને 6 મહીનાનું ઇપીએફ યોગદાન આપવું જોઇએ જે પોતાના કર્મચારીઓને સતત વેતન આપી રહી છે. સામાજિક સુરક્ષા પેન્શનના લાભાર્થીઓને 3 મહીના સુધી 2000 રૂપિયાની રકમ આપવામાં આવે.
હપ્તાની ચૂકવણીમાં છૂટ
ખેડૂતો, નાના વેપારીઓ માટે અને હાઉસ લોન પર હપ્તાની ચૂકવણીમાં 3 મહીનાની છૂટ મળવી જોઇએ. અર્થવ્યવસ્થા પાટા પર ન ચઢે ત્યાં સુધી કોઇ વ્યાજ લેવામાં ન આવે. મુદ્રા કિશોર અને શિશુ લોન પર 6 મહીના સુધી વ્યાજ અને રિપેમેન્ટ નહીં. આ દરમિયાન આદિવાસી વિસ્તારોના સાહૂકારોને ભારી ભરકમ વ્યાજદરોથી બચાવવી જોઇએ.
લોકોની ખાનગી સંપત્તિ રાષ્ટ્રીય સંસાધન માનવામાં આવે
તેમનું કહેવું છે કે દેશના લોકોની પાસે ઉપલબ્ધ સંસાધન જેમકે રોકડ, રિયલ એસ્ટેટ, સંપત્તિ, બૉન્ડ વગેરે અને દેશના સંસાધનોને આ સંકટ દરમિયાન રાષ્ટ્રીય સંસાધન માનવા જોઇએ. આ ઉદ્દેશ્ય માટે કેન્દ્ર દ્વારા મહેસૂલનો અડધો ભાગ રાજ્યોની સાથે શૅર કરવો જોઇેએ. આ મિશનને પ્રાથમિકતા આપવામાં આવે અને બિનજરૂરી સરકારી ખર્ચાઓ અને સબસિડીને બંધ કરી દેવી જોઇએ.