બનાસકાંઠામા એક ખેડૂતની પ્રામાણિકતા સામે આવી છે. જેમાં ખેડૂતે રસ્તામાંથી મળેલા રૂપિયા 5 લાખથી વધુની કિંમતના સોનાના દાગીના તેના મૂળ માલિકને પરત આપ્યા છે. મળતી માહિતી મુજબ લાખણી તાલુકાના અછવાડિયા થી કુવાણા ગામના કાચા રસ્તેથી ખેડૂત રાણાજી કલ્યાણજી રાજપૂતને પંદર તોલાના સોનાના દાગીનાના અલગ અલગ બોક્સ મળી આવ્યા હતા. પરંતુ આ સોનાના દાગીનાનો માલિક કોણ છે તે ખાતરી કરવા માટે તેમણે થોડો સમય રાહ જોવાનું વિચાર્યું હતું. જો કે ૧૫ તોલા સોનું ખોવાયાનો મેસેજ સોશિયલ મીડિયામાં whatsapp દ્વારાવાયરલ થયો હતો. જે મેસેજના આધારે સોનાનો માલિક તેમના ગામનો જ હોવાની જાણ થઇ હતી. જેથી રાણાજી કલ્યાણજી રાજપૂતે સોનાના દાગીનાના મૂળમાલિક ઉકાજી ભાણાજી રાજપૂતને પોતાના ઘરે બોલાવ્યા હતા. જ્યાં તેમણે સોનાના દાગીના મૂળમાલિકને પરત કરી પ્રમાણિકતા દાખવી હતી.