માત્ર રાજકોટમાં દર મહિને 30થી વધુ ફરિયાદ, કોઈનો વીમા ક્લેઈમજ કંપનીએ કર્યો રિજેક્ટ તો કોઈને 6 લાખની સામે 4 લાખ રૂપિયા આપી કરી મોટી ગોલમાલ
વીમાં કંપનીઑ કરી રહી છે ઉઘાડી લૂંટ
રાજકોટમાં મેડિકલ વીમાં પાસ કરાવવા લોકોને હવાતિયા
વીમા કંપનીઓના બહાના બતાવવામાં અવલ્લ
કોરોનાકાળમાં આર્થિક રીતે મદદ મળે તે માટે લોકો વીમા પોલિસી પર આધાર રાખતા હતા પણ શું તમે જાણો છો કે આ જ વીમા પોલિસી લોકોના આધાર બનાવની જગ્યાએ લોકોને નિરાધાર કરી રહી છે અલગ અલગ બહાના હેઠળ ઘણા લોકો ને વીમા કંપની પૈસા નથી આપતી તેવા ઘણા કેસ સામે આવ્યા છે ગ્રાહક સુરક્ષા વિભાગમાં વીમા કંપની વિરુદ્ધ અઢળક લોકોએ ફરિયાદ કરી છે ત્યારે જાણો કેવી રીતે વીમા આધાર લોકો બન્યા નિરાધાર
રાજકોટ શહેર અને જિલ્લામાં અનેક એવા કેસ સામે આવ્યા છે જેમાં વીમા કંપની ગ્રાહકને ઉલ્લુ બનાવે છે જે લોકો એ કોરોનાની સારવાર લીધી છે અથવા મૃત્યુ થયા છે તેને બહાના આપી ક્લેમ માં પૈસા નથી આપી રહી રાજકોટ ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા આવી અનેક વીમા કંપનીઓને નોટિસ પાઠવવામાં આવી છે લોકો વીમો એટલા માટે ઉતરાવે છે કે આર્થિક સંકટ સમયે લોકોને પોલિસીનો ફાયદો મળે પણ હવે આજ વીમા કંપનીઓ લોકોના સંકટ નું કારણ બની ગઈ છે
જીતેન્દ્ર ભટ્ટના હક્કના રૂપિયા ક્યારે મળશે?
જ્યારે અમે અરજદારો સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું વીમા કમ્પની કઈ રીતે તેમને હેરાન કરે છે. જીતેન્દ્ર ભટ્ટ કે જેમણે પેરેન્ટ કમ્પની નો અને એક સ્ટાર હેલ્થ માં ઇન્સ્યોરન્સ હતો કુલ 10 લાખ ની પોલિસી છે કોરોના દરમિયાન જીતેન્દ્ર ભાઈને 8 લાખ જેવો ખર્ચો થયો હતો ત્યારબાદ 6,90,000 તેમને ક્લેમ મુજબ મળવા પાત્ર રકમ હતી જોકે વીમા કંપનીએ હજુ પણ 1,90,000 રકમ મેળવવા બાકી છે અને આ રકમ ન આપવી પડે તે માટે અલગ અલગ કારણો બતાવવામાં આવ્યા જોકે જીતેન્દ્ર ભાઈ હજુ પણ પોતાની રકમ મેળવવા ગ્રાહક સુરક્ષા મારફત લડત કરી રહ્યા છે
અશોક ભાઈએ ક્લેમ મુક્યો પણ રિજેક્ટ કર્યો
હવે વાત કરીએ અશોક ભાઈની જે પોતે એડવોકેટ છે. અશોક ભાઈ ને ઓગસ્ટ 2020 માં કોવિડ પોઝિટિવ આવ્યો તેમની વીમા પોલિસી ICICI લોમબાર્ડ કમ્પની સાથે હતી 40,000 ના પેકેજમાં તેમણે સારવાર લીધી સપ્ટેમ્બર માસ માં અશોક ભાઈએ ક્લેમ મુક્યો પણ રિજેક્ટ કરવામાં આવ્યો જોકે ચોંકાવનારી વાત તો એ છે કે વીમા કંપનીએ એવું બહાનું આગળ ધર્યું કે તમે જે મેલ માં ડોક્યુમેન્ટ મોકલ્યા છે એ બીજા મેલ માં મોકલવામાં હતા એટલે તમારો ક્લેમ રિજેક્ટ થાય છે
પહેલા વીમો આપતી વેળાએ કંપનીઓએ તારા દેખાડ્યા હવે બહાના..!
બહાનું 1
તમને કોરોના થયો છે પણ તમને ડાયાબિટીઝ હતી, BP ની બીમારી હતી , હાર્ટ નો પેશન્ટ હતા એટલે દર્દીનું મોત કોરોનાથી નથી થયું તમારો વીમો પાસ નહિ થાય
બહાનું 2
તમારે કોરોના દરમિયાન હોસ્પિટલમાં દાખલ નથી થયા ઘરે સારવાર લીધી છે એટલે તમારું ક્લેમ પાસ નહિ થાય જોકે આવી કોઈ જ શરતો ની જાણ વીમો ઉતરાવતા સમયે નથી કહેવામાં આવતું
બહાનું 3
તમારું મોત કોરોના નેગેટિવ આવ્યા બાદ થયું છે એટલે તમારું મોત કોરોનાથી નથી થયું અને તમારો ક્લેમ પાસ નહિ થાય
સાચી હકીકત શું?
હકીકતે આ પ્રકારની કોઈ શરતો વીમા પોલિસીને લાગુ પડતી નથી ગ્રાહક સુરક્ષાનું માનીએ તો મૃત્યુ સર્ટિફિકેટ અથવા કોરોનાથી મોત થયા નું સર્ટિફિકેટ ગ્રાહકના વિમાના પૈસા મેળવવા માટે પૂરતું છે
વીમા કંપનીઑ બનાવટ કરે છે તો કાર્યવાહી કેમ નહીં?
આમ તો વીમા કંપની પોલિસી ઉતારવા માટે નવા નવા નુસખા કરતા હોય છે કરોડો રૂપિયાની સારી સારી જાહેરાતો આપે છે મોટા મોટા સેલિબ્રિટી ને એમ્બેસેડર બનાવતા હોય છે પણ 40, 50 હજાર જેવી મામુલી રકમ આપવામાં પણ આનાકાની કરે છે. લોકો વીમો એટલા માટે વીમા પોલિસી ઉતરતા હોય છે કે તેમના સંકટ સમયે તેમને આર્થિક સહાય મળે પણ જે રીતે કોરોના કાળ દરમિયાન વીમા કમ્પનીઓ જે રીતે કામ કરી રહી છે અનેક લોકો ચિંતા મુકાયા છે દર મહિને 30 વધુ અરજદારો વીમા કંપની વિરુદ્ધ રાજકોટ માં ફરિયાદો કરે છે હજુ તો અનેક લોકો હશે કે જેમને ખ્યાલ નહિ હોય કે આ પ્રકારની બનાવટી વાતો કરી તેમના વીમા ક્લેમ કરવામાં આવી રહ્યા છે