કોંગ્રેસની CWC બેઠકમાં સરદાર પટેલનું અપમાન થતા મામલો ગરમાયું છે. બેઠકમાં એક નેતાએ એવું નિવેદન આપ્યું કે સરદાર પટેલ જન્ના સાથે હતા જેથી આ મામલે ગરમાયો છે.
આગામી વર્ષે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરશે
ગત શનિવારે કોંગ્રેસ કાર્ય સમિતીની બેઠક યોજાઈ હતી. જેમા અમુક વિવાદસ્પદ ટિપ્પણી સામે આવી છે. પીડીપી નેતાને સીડબ્લ્યૂસીના સદસ્ય હમીદ કર્રાએ કહ્યું કે માત્ર ગાંધી પરિવારજ ભારતને એકજુટ રાખી શકશે. જેથી રાહુલ ગાંધી ફરી પાર્ટીનું નેતૃત્વ સંભાળે તેવુ તેમણે કહ્યું
સરદાર પટેલ પર કર્યા પ્રહાર
સમગ્ર મામલે નહેરુની પ્રશંસા કરતા સરદાર પટેલ પર નિશાન સાંધવામાં આવ્યું. જેમા એવું કહેવામાં આ્યું કે આજે કાશ્મીરના લોકો નહેરુને કારણે ભારતમાં છે. તેમણે કહ્યું કે સરદાર પટેલ કાશ્મીરને છોડી દેવા જિન્ના સાથે ઉભા હતા. જોકે આ મામલે સીડબ્લ્યૂસીના અમુક સદસ્યોએ કર્રાની વાત પર હસ્તક્ષેપ કર્યો અને કહ્યું સરદાર પટેલનું પણ આઝાદીમાં ઘણુ યોગદાન છે સાથેજ એવું પણ કહેવામાં આ્યું કે તેઓ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રહી ચુક્યા છે.
પૂર્વ PM નરસિમ્હા રાવ પર મોટો આક્ષેપ
બેઠકમાં ચિંતામોહન દ્વારા એવું કહેવામાં આવ્યું કે પૂર્વ પીએમ નરસિમ્હા રાવ કોંગ્રેસની વિચારધારા પ્રત્યે બેદરાકર હતા. સાથેજ એવું પણ કહ્યું કે તેમણે પાર્ટીને ખતમ કરવા માટે કામ કર્યું હતું. સાથેજ આ બેઠકમાં તૃણમૂલ કોગ્રેસ પર એવા આરોપ લાગ્યા કે તેઓ ગોવામાં ભાજપની મદદ કરવા માટે ચૂંટમી લડી રહ્યા છે.
આવતાવર્ષે રાષ્ટ્રીય અધ્યક્ષની યોજાશે ચૂંટણી
આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ રહેશે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમા સોનિયા ગાંધીના નામ સાથે મોટા ભાગના સદસ્યો સહમત થયા હતા. જોકે પરિસ્થિતીને જોતા રાહુલ ગાંધીને પણ તત્કાલ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવી શકે છે. પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી પણ ડિસેમ્બર 2022માં કરવામાં આવશે.