આજકાલ જમાનામાં ઘણા લોકો ડાયાબીટીસથી પીડાય છે, ત્યારે ડાયાબિટીસ થી થોડી રાહત આપવા માટે ઇન્સ્યુલિનના પાંદડા થાય છે મદદરૂપ.
ઇન્સ્યુલિનના છોડ ઘણા રોગમાં મદદરૂપ
બ્લડ શુગર વધવું કે ઘટવું તમારા માટે હાનીકારક
વધુ પાણી પીવાથી પણ શરીરમાં શુગર કન્ટ્રોલમાં રહેશે
ડાયાબિટીસમાંથી રાહત મેળવો
ઇન્સ્યુલિનના છોડનું આયુર્વેદમાં ખૂબ જ મહત્વ છે. તેનું વૈજ્ઞાનિક નામ કોક્ટસ પિક્ટસ છે. તેને ક્રેપ આદુ, કેમુક, કુએ, કેકંદ, કુમુલ, પક્રમુલા અને પુષ્કરમુલા જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. તેના પાંદડાનો સ્વાદ ખાતો હોય છે. તેનથી ડાયાબિટીસના દર્દીઓને જરૂર રાહત મળે છે.
શુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ
બ્લડ શુગરને કંટ્રોલ કરવા ઉપરાંત ખાંસી, ઉધરશ, શરદી, સ્કિન ઇન્ફેક્શન, આંખનો ચેપ, ફેફસાના રોગો, અસ્થમા, ડાયેરિયા, કબજિયાત વગેરેમાં પણ તેનો ઉપયોગ થાય છે. આનું એક પાન અનેક પ્રકારના રોગોમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.
બ્લડ શુગર લક્ષણો
જ્યારે બ્લડ શુગરનું વધી જાય છે, ત્યારે ઊંઘ બરાબર આવતી નથી, ખૂબ તરસ લાગે છે, ઝાંખું દેખાવા લાગે છે અને વારંવાર પેશાબ લાગે છે. સાથે જ જ્યારે બ્લડ શુગર ઓછી થાય છે ત્યારે ધ્રુજારી, ભૂખ લાગવી, પરસેવો આવવો, બેચેની અને ચીડિયાપણાનો અનુભવ થાય છે.
પાણીથી પણ બ્લડ શુગરને કંટ્રોલ કરી શકીએ
લોહીમાં શુગરના લેવલને ઘટાડવા માટે પાણી એ પણ સૌથી સહેલો રસ્તો છે. જો તમે પાણી વધુ પીવો છો તો તે તમારા સુગર લેવલને પણ નિયંત્રિત કરે છે. પાણી દ્વારા કિડની શરીરમાંથી ટોક્સિન અને ઈન્સ્યુલિનને દૂર કરવાનું કામ કરે છે.