Institute of Seismological Research, the ground level in Adamabad's Bhopal and Vatwa is sinking by 25 mm every year Let's hear what the researchers say
રિપોર્ટ /
અમદાવાદ ધસી રહ્યું છે! પ્રકૃતિના કામમાં અવરોધ વિનાશ વેરશે, રિસર્ચમાં આ વિસ્તારોમાં અપાયું એલર્ટ
ઘુમા અને બોપલ વિસ્તારમાં પણ દર વર્ષે 15 મિલીમીટરના હિસાબથી જમીન ધસતી જોવા મળી રહી છે. ત્યારે આ અંગે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના રિસર્ચરો શું કહી રહ્યા છે ચાલો જાણીએ..
અમદાવાદમાં તોળાઈ રહ્યું છે જોશીમઠ જેવું સંકટ?
અમદાવાદમાં જમીન ધસવા અંગે શું કહી રહ્યા છે રિસર્ચરો
પાણી ખેંચી લેવાને કારણે જમીન ધસી રહી
તંત્રના પોકળ દાવા પણ હકીકત કઇંક અલગ
ઉત્તરાખંડનું એક નગર હાલ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. 6 હજાર ફીટની ઊંચાઈએ વસેલા જોશીમઠમાં વસતા 20 હજાર લોકો ઉપર હાલ જોખમ તોળાઈ રહ્યું છે. ઉત્તરાખંડના જોશીમઠ શહેરમાં મકાનો, રસ્તાઓ અને ઇમારતોમાં તિરાડો પડી રહી છે. પહાડો ધરતીમાં સમાઈ રહ્યા છે.
અમદાવાદમાં તોળાઈ રહ્યું છે જોશીમઠ જેવું સંકટ?
એક તરફ આખા દેશ અને દુનિયાની નજર હાલ જોશીમઠ ઉપર છે તો બીજી તરફ અમદાવાદને લઈએ પણ કઇંક આવા જ મોટા સમાચાર આવ્યા છે. વર્ષ 2019માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના એક રિપોર્ટ પ્રમાણે નિષ્ણાતોને તપાસમાં જાણવા મળ્યું છે કે 25 મિલીમીટર પ્રતિ વર્ષના હિસાબથી કેટલાક વિસ્તારની જમીન ધસી રહી છે. આવું મુખ્યત્વે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં જોવા મળે છે. શહેરના ઘોડાસર, વટવા અને હાથીજણ વિસ્તારમાં દર વર્ષે 20થી 25 મીમીના હિસાબથી જમીન ધસી રહી છે. ઘુમા અને બોપલ વિસ્તારમાં પણ દર વર્ષે 15 મિલીમીટરના હિસાબથી જમીન ધસતી જોવા મળી રહી છે. ત્યારે આ અંગે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના રિસર્ચરો શું કહી રહ્યા છે એ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
અમદાવાદમાં જમીન ધસવા અંગે શું કહી રહ્યા છે રિસર્ચરો
અમદાવાદમાં જમીન ધસવા અંગે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના રિસર્ચરોનું કહેવું છે કે, ' મનુષ્ય જ્યારે પ્રકૃતિના કામમાં અવરોધ કરે છે ત્યારે કુદરતને તો નુકસાન પહોંચે છે પણ કુદરત કરતા વધુ નુકસાની મનુષ્યએ જ ભોગવી પડે છે જેનું તાજું ઉદાહરણ જોશીમઠ છે.' સિસ્મોલોજીકલ રિસર્ચમાં સામે આવ્યું હતું કે બોપલમાં જમીન ધસી રહી છે જે અંગે VTV ન્યુઝે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં સૌથી મોટું કારણ અહીંની સોસાયટીમાં ઉભા થયેલા પાણીના બોર છે. નર્મદાનું પાણી અહીં ઘર સુધી ન પહોંચતા ઘરે ઘરે પાણીના બોર છે જેના કારણે જમીનનું ધોવાણ થતા પાણીનું સ્તર નીચું ગયું..
પાણી ખેંચી લેવાને કારણે જમીન ધસી રહી
જણાવી દઈએ કે સિસ્મોલોજીકલનો રિપોર્ટ છેલ્લા 10 વર્ષના અભ્યાસ દરમિયાન થયો છે. 10 વર્ષ પેહલા બોપલ-ઘુમા વિસ્તાર નગરપાલિકામાં આવતું હતું. નર્મદાનું પાણી ન આવતા સોસાયટીમાં બોર બન્યા હતા અને આશરે 400થી વધુ ખાનગી સોસાયટીમાં બોર આવેલા છે જેનું પાણી લોકો પી રહ્યા છે. આ વિસ્તારમાં હજુ નર્મદાનું પાણી માત્ર જૂજ લોકોના ઘરે જ પહોંચ્યું છે અને એ કારણે બોપલવાસીઓ એ હજુ પણ બોરનું ખારું પાણી જ પીવું પડે છે. જો કે જમીનમાંથી પાણી બોર મારફતે ખેંચતા પાણીનું સ્તર ઘટી રહ્યું છે અને જમીનનું સ્તર નીચે જઈ રહ્યું છે.
તંત્રના પોકળ દાવા પણ હકીકત કઇંક અલગ
વર્ષ 2009થી 2019ના સમય દરમિયાન સિસ્મોલોજીકલ વિભાગે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ સમય દરમિયાન તંત્રના સત્તાધીશોએ નર્મદાના પાણી માટે પ્રયાસો કરવામાં આવ્યા પણ તેઓ નર્મદાનું પાણી નાગરિકોને સુધી પંહોચડી શક્યા નહતા. નર્મદાનું પાણી પંહોચાડવા માટે છેલ્લા ઘણા સમયથી તંત્ર ફક્ત દાવા જ કરે છે પણ હકીકત કંઈક અલગ જ હોય છે. જો કે હવે 4 મહિના પેહલા જ નર્મદાનું પાણી ઔડા અને અમદાવાદ કોર્પોરેશને નાગરિકોને આપવાની શરૂઆત કરી છે.
ISRના નિષ્ણાતો સતત રાખી રહ્યા છે નજર
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR)ના નિષ્ણાતો સતત જમીન ધસવા પર નજર રાખી રહ્યા છે. નિષ્ણાતોને તપાસમાં જાણવા મળ્યું છે કે 25 મિલીમીટર પ્રતિ વર્ષના હિસાબથી કેટલાક વિસ્તારની જમીન ધસી રહી છે.
ભૂગર્ભજળના શુદ્ધિકરણના કારણે ધાર ઉપરની તરફ વળી જાય છેઃ નિષ્ણાતો
નિષ્ણાતોની ટીમે પોતાના સંશોધનમાં શોધી કાઢ્યું કે, અમદાવાદના મધ્ય પૂર્વ અને મધ્ય પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ધીમી ગતિથી દર વર્ષે 2થી 8 મિલીમીટર પ્રતિ વર્ષના હિસાબથી જમીન ધસી રહી છે. સંશોધન કરી રહેલા નિષ્ણાતોનું કહેવું છે કે ભૂગર્ભ જળના મોટા પાયે શુદ્ધિકરણને કારણે તેની ધાર ઉપરની તરફ વળી જાય છે. જ્યારે છિંદ્ર નાનું હોવાને કારણે ફ્લોર પર દબાણ પડે છે. જેના કારણે જમીન ધસવા લાગે છે. આ સિવાય જમીનમાં તિરાડો પણ પડી જાય છે.
ભૂગર્ભ જળ કેમ જરૂરી?
બિનઆયોજિત રીતે જમીનની અંદરથી ભૂગર્ભ જળ કાઢવામાં આવે ત્યારે જ આ પ્રકારની સમસ્યા સામે આવે છે. જમીનની અંદર રહેલ પાણી જ્યારે ઓછું થતું જાય તો કાંપનું પણ વર્ટીકલ કંપરેશન થાય છે.
જમીન ધસવાથી શું અસર થઈ શકે?
જમીનમાં જોવા મળી રહેલા આ ફેરફારની અસર જમીનની અંદર જ માટીના ઉપરના ભાગ પર પણ જોવા મળી શકે છે. સાથે સાથે રોડ, બ્રિજ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થઈ શકે છે. ડ્રેનેજ સિસ્ટમમાં પણ પાણી ભરાવવા જેવી સમસ્યાઓ સામે આવી શકે છે.
દરિયાકાંઠાના ગામો પર તોળાતું સંકટ
ISRO સ્પેસ એપ્લીકેશન સેન્ટરના વૈજ્ઞાનિક રતિશ રામક્રિષ્નન અને તેમના સાથીઓએ દ્વારા આ સંશોધન રિપોર્ટ બહાર પાડ્યું છે. જેનું નામ 'Shoreline Change Atlas of the Indian Coast- Gujarat- Diu & Daman' છે. જેમાં બતાવ્યું છ કે, ગુજરાતનો 1052 કિલોમીટર લાંબો દરિયાકિનારો સ્થિર હોવાનું જણાવ્યું છે. 110 કિલોમીટરનો દરિયાકિનારો કટ થઈ રહ્યો છે. તેમજ 49 કિલોમીટરના દરિયાકાંઠે આ વધુ ઝડપથી વિસ્તરી રહ્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સમુદ્રનું વધતું સ્તર અને જળવાયુ પરિવર્તન થવાના મુખ્ય કારણો છે. કાંપના કારણે ગુજરાતમાં 208 હેક્ટર જમીનમાં વધારો થયો છે. પરંતુ દરિયાઈ ધોવાણને કારણે ગુજરાતે 313 હેક્ટર જમીન ગુમાવી છે.
દરિયાના પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે
વધુ એક રિપોર્ટ સામે આવ્યો છે, જે કૃણાલ પટેલ અને તેમના સાથીઓએ કર્યો છે. જેમાં ગુજરાતના 42 વર્ષના ભૌગોલિક ઈતિહાસનો અભ્યાસ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે કચ્છ જિલ્લામાં સૌથી વધુ દરિયાઈ ધોવાણ થયું છે, જ્યાં 45.9 ટકા જમીનનું ધોવાણ થયું છે. પટેલ અને તેમના સાથીઓએ ગુજરાતને ચાર રિસ્ક ઝોનમાં વિભાજિત કર્યું હતું. દરિયાકાંઠાનો 785 કિમી વિસ્તાર ઉચ્ચ જોખમવાળા ક્ષેત્રમાં અને 934 કિમી વિસ્તાર મધ્યમથી ઓછા જોખમની શ્રેણીમાં છે. આ વિસ્તારો જોખમના ક્ષેત્રમાં છે કારણ કે અહીં દરિયાના પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે
10 જિલ્લામાં ધોવાણ થઈ રહ્યું છે
સંશોધન મુજબ ગુજરાતના 16 દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી 10 જિલ્લામાં ધોવાણ થઈ રહ્યું છે. મોટાભાગે કચ્છમાં ત્યારબાદ જામનગર, ભરૂચ અને વલસાડમાં વધુ ધોવાણ વધુ થઈ રહ્યો છે. તેનું કારણ છે કે ખંભાતના અખાતની દરિયાઈ સપાટીના તાપમાનમાં 1.50 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 1 ડિગ્રી અને કચ્છના અખાતમાં 0.75 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો પારો વધ્યો છે. તાપમાનમાં આટલો વધારો છેલ્લા 160 વર્ષમાં થયો છે.
લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવવી જોઈએ
દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાના કેટલાક ગામો ખતરા હેઠળ છે. ઉમરગામ તાલુકાના 15 હજાર જેટલા લોકોના જીવન અને વ્યવસાય જોખમમાં છે, કારણ કે દરિયાનું પાણી તેમના ઘરમાં પ્રવેશે છે. ઉમરગામ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સચિન માછીનું માનવું છે કે દમણ તંત્ર જે રીતે 7 થી 10 કિલોમીટર લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવી છે. તેવી જ રીતે ગુજરાત સરકારે 22 કિલોમીટર લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવવી જોઈએ.