આ મહિનાથી આધારની વિગતો આપવા પર ઈ-પાન કાર્ડ જારી કરવાની સુવિધા શરૂ કરવા જઈ રહી છે. મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેના જણાવ્યા પ્રમાણે, આ ઓનલાઈન પ્રોસેસમાં આધાર નંબર દાખલ કરવા પર રજિસ્ટર્ડ મોબાઈલ પર OTP (વન ટાઈમ પાસવર્ડ) દ્વારા વેરિફિકેશન બાદ ઈ-પાન જારી કરવામાં આવશે.
ફ્રેબુઆરીથી સરકાર ઇ-પાન કાર્ડ જારી કરવાની સુવિધા શરૂ કરવા જઇ રહી છે.
આધાર નંબર દાખલ કરતા જ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે જેના વેરિફિકેશન પછી ઇ-પાન જારી કરવામાં આવશે.
PAN-આધારની છેલ્લી તારીખ 31 માર્ચ 2020 છે
આ સુવિધાનો સૌથી મોટો લાભ થશે કે, ઇન્કમ ટેક્સપેયર્સને પાન કાર્ડ માટે ફોર્મ ભરવાની કે તેને જમા કરવાની ઝંઝટમાંથી છૂટકારો મળી જશે, તે ઉપરાંત ઇન્કમ ટેક્સ પેયર્સને તેના જ ઘરે પાન કાર્ડ મોકલી આપવામાં આવશે, જેનાથી ટેક્સ વિભાગની પ્રક્રિયા સરળ થઇ જશે.
આ રીતે કરશે કામ
વ્યકિતને ટેક્સ વિભાગની વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જઇને આધાર નંબર આપવાનો રહેશે. આધાર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP (વન ટાઈમ પાસવર્ડ) મોકલવામાં આવશે. આધારની માહિતી વેરિફાઇ કરવા માટે OTP નો ઉપયોગ કરવાનો રહેશે, ત્યારપછી ઇ-પાન કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.
31 માર્ચ સુધી કરાવવું પડશે PAN- આધાર લિંક
સરકારે PAN-આધાર લિંક કરાવવુ ફરજિયાત કર્યું છે, 30.75 કરોડથી વધુ પાન આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે. જો કે, 27 જાન્યુઆરી 2020 સુધી 17.58 કરોડથી વધારે PANને આધાર સાથે લિંક કરવાનું બાકી છે. PAN-આધારને લિંક કરવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2020 છે.