અમદાવાદ ફૂડમાંથી જીવાત નિકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આનંદનગર પાસે આવેલા હોકો ઈટરીના ફૂડમાંથી જીવાત નીકળી હતી. હોમ ડિલિવરી મંગાવતા ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે હોકો ઈટરીમાંથી ચણાપુરી અને સબ્જી મંગાવી હતી. ત્યારે સબ્જીમાંથી જીવાત નીકળી હતી. આથી ગ્રાહકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને રોષ ઠાલવ્યો હતો. તેમજ કોર્પોરેશનને કાર્યવાહી કરવા માગ કરી હતી..