INS Vikramadityaમાં શનિવારે સવારે સામાન્ય આગ લાગી હતી.
INSમાં શનિવારે સવારે સામાન્ય આગ લાગી હતી
ખર્ચાળ હોવાના કારણે આને નૌસેનાથી હટાવી દેવામાં આવ્યું
સેલર એકામડેશન કમ્પાર્ટમેન્ટમાં આગ લાગી ગઈ
ભારતમાં વિમાન વાહક શીપ આઈએનએસ વિક્રમાદિત્ય (INS Vikramaditya)માં શનિવારે સવારે સામાન્ય આગ લાગી હતી. જો કે આ દરમિયાન કોઈ પણ પ્રકારનું નુકશાન નહોંતુ થયુ. આ વાતની જણકારી નૌસેનાના પ્રવક્તાએ આપી છે. હાલમાં આગ પર કાબૂ મેળલી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ઘટનાની તપાસ ચાલૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આઈએનએસ વિક્રમાદિત્ય આ સમયે કારવાર હાર્બરમાં છે.
સેલર એકામડેશન કમ્પાર્ટમેન્ટમાં આગ લાગી ગઈ
INS Vikramaditya ના સેલર એકામડેશન કમ્પાર્ટમેન્ટમાં આગ લાગી ગઈ છે. મનાઈ રહ્યુ છે કે ડ્યુટી સ્ટાફે સેલર એકામડેશન કમ્પાર્ટમેન્ટમાં લાગેલી આગ અને ઘૂમાડાને જોયો અને બાદમાં ફાયર ફાઈટિંગ ઓપરેશન લોન્ચ કર્યુ. તાત્કાલીક કરવામાં આવેલી કાર્યવાહી બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. નૌસેનાના એક પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યુ કે આગ ઓલવી દેવાઈ છે અને જહાજમાં સવાર તમામ કર્મી સુરક્ષિત છે.
કોઈ મોટુ નુકશાન નથી પહોંચ્યુ
નિવેદનમાં કહ્યુ કે ડ્યૂટી પર તૈનાત કર્મચારીઓએ યુદ્ધ વિમાનમાં નૌસેનિકોના રહેવાવાળા ભાગમાં ધૂમાડો થતા જોયો. કહેવામાં આવ્યુ કે શીપના ડ્યૂટી કર્મીઓએ આગ બુઝાવવા માટે તાત્કાલીક કાર્યવાહી કરી. શીપમાં સવાર તમામ કર્મચારીઓની ગણતરી કરવામાં આવી અને કોઈ મોટુ નુકશાન નથી પહોંચ્યુ. નૌસેના પ્રવક્તાએ જણાવ્યુ કે આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોત બંદરગાહમાં ઉભુ છે.
શીપ પર કુલ 22 ડેક છે અને તેમાં 1600 કર્મી રહી શકે છે
કીવ ક્લાસના આ વિમાન વાહક શીપને ભારતે રશિયાથી વર્ષ 2013માં ખરીદ્યુ હતુ. બાકૂના નામથી તૈયાર થયુ આ પોત 1987માં સેનામાં શામિલ થયુ હતુ. આને 1996 સુધી સોવિયત અને રશિયન નૌસેનામાં પોતાન સેવા આપી. ખાસ વાત એ છે કે ખર્ચાળ હોવાના કારણે આને નૌસેનાથી હટાવી દેવામાં આવ્યું હતુ. 3 ફુટ બોલ મેદાનના આકારના આકારની આ શીપ પર કુલ 22 ડેક છે અને તેમાં 1600 કર્મી રહી શકે છે.