હિન્દુસ્તાનના દુશ્મનોની ઊંઘ હરામ કરવા માટે દેશની સમુદ્રી સરહદને અભેદ્ય અને અખંડ રાખવા માટે અત્યાર સુધીની સૌથી આધુનિક સબમરીન્સમાંથી એક એવી INS વાગશીર ભારતીય નૌસેનાના જંગી બેડામાં સામેલ થવાની છે.
દુશ્મનોની ઊંઘ હરામ કરવા આવી રહી શાનદાર સબમરીન
INS વાગશીર નૌસેનામાં જોડાશે
જોઈ લો અહીં તેવી ખાસિયત કેવી છે
હિન્દુસ્તાનના દુશ્મનોની ઊંઘ હરામ કરવા માટે દેશની સમુદ્રી સરહદને અભેદ્ય અને અખંડ રાખવા માટે અત્યાર સુધીની સૌથી આધુનિક સબમરીન્સમાંથી એક એવી INS વાગશીર ભારતીય નૌસેનાના જંગી બેડામાં સામેલ થવાની છે. આખરે આ સબમરીનની ખાસિયત શું છે અને તેને શા માટે સાયલેંટ કિલર કહેવા છે, જોઈ લો અહીં વિસ્તારથી સમગ્ર વિગતો.
પ્રોજેક્ટ 75 અંતર્ગત બનાવામાં આવેલી સબમરીન કલવરી શ્રેણીની અંતિમ સબમરીન છે. આ કલવરી ક્લાસની ડિઝલ ઈલેક્ટ્રિક સબમરીન છે. આ સબમરીનની લંબાઈ લગભગ 221 ફૂટ છે અને તે લગભગ 40 ફૂટી ઉંચી છે. આ સબમરીનમાં 360 બેટરી સેલ્સ લાગેલા છે. મુંબઈના મંઝગામ ડોક પર બનેલી આ સબમરીનનો 40 ટકાથી વધારે ભાગ આત્મનિર્ભર ભારત અંતર્ગત બનાવામાં આવ્યો છે.
કેટલી પનડુબ્બીની સ્પિડ
પાણીના સ્તર પર આ પનડુબ્બી લગભગ 20 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે, જ્યારે પાણીની અંદર તે સાયલેંટ કિલરની સ્પિડથી લગભગ 37 કિમી પ્રતિ કલાક હોય છે. આ પનડુબ્બી સમુદ્રના તળીયે 350 ફૂટ નીચે જઈને દુશ્મનને શોધી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે, ઘાત લગાવીને ચૂપચાપ સમુદ્રમાં લગભગ 50 દિવસ સુધી આ સબમરીન સતત રહી શકે છે. આ સબમરીનની રેંઝ તેની સ્પિડના હિસાબે નક્કી થાય છે.
આ ઘાતક હથિયારોથી લૈસ છે INS વાગશીર
દુશ્મનોના ખાક કરવા માટે આ સબમરીનમાં ઘાતક હથિયાર લાગેલા છે. આ સબમરીનમાં 533 MM ના 6 ડોરપીડોસ ટ્યૂબ્સ છે. કોઈ પણ મોટા ઓપરેશન દરમિયાન તે સાયલેંટ કિલર પોતાની સાથે 18 ડોરપીડોસ અથવા તો SM39 એન્ટી શીપ મિસાઈલ લઈ શકે છે. દુશ્માનોની સબરમીન્સ, વોરશિપને ધ્વસ્ત કરવા માટે સમુદ્રમાં માઈન્સ બિછાવવા માટે કારગર છે. એક સાથે લગભગ 30 માઈન્સ INS વાગશીર બિછાવી શકે છે.
શા માટે તેને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે?
તેની અદ્યતન સિસ્ટમના કારણે આ કિલર સબમરીન અવાજ કર્યા વિના દરિયામાં ફરે છે. સ્ટીલ્થ ટેક્નોલોજીના કારણે તે દુશ્મનોના રડારમાં નથી આવતી. આ સબમરીનમાં બે અદ્યતન પેરીસ્કોપ પણ ફીટ કરવામાં આવ્યા છે. આધુનિક નેવિગેશન અને ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ INS વાગશીર કોઈપણ હવામાનમાં કામ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.
વાગાશીર કયા મિશન સુધી પહોંચી શકે છે?
INS વાગીર તમામ પ્રકારના મિશન પાર પાડવામાં નિપુણતા ધરાવે છે. ખાસ કરીને સબમરીન વિરોધી યુદ્ધ, સપાટી વિરોધી યુદ્ધ, ગુપ્ત માહિતી ભેગી કરવી કોઈ જોટો જડે તેમ નથી. અન્ય નૌકાદળના યુદ્ધ જહાજો સાથે વાતચીત કરવા માટે આ સબમરીનમાં અદ્યતન સંચાર પ્રણાલી ફીટ કરવામાં આવી છે.
સબમરીનમાં સૈનિકોનું જીવન કેવું હોય છે ?
આ સબમરીનમાં એક સમયે 6 અધિકારીઓ અને 35 ખલાસીઓ તૈનાત કરી શકાય છે. આ સબમરીનમાં કામના કલાકો નક્કી કરવામાં આવ્યા છે. દરેક જવાન અને અધિકારી 3 કલાક ડ્યુટી કરે છે અને પછી 6 કલાકનો બ્રેક લે છે. બાકીના સૈનિકો અને અધિકારીઓ માટે નાના કમ્પાર્ટમેન્ટ છે. સબમરીનમાં જગ્યા ઓછી હોવાને કારણે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. સબમરીનમાં રસોડાને ગેલી કહેવામાં આવે છે. જવાનો રસોઈ બનાવતી વખતે ધક્કો મારી શકતા નથી કારણ કે ધુમાડો નીકળી શકતો નથી.