ભારતીય નૌકાદળની સતત વધતી તાકાત વચ્ચે 23 જાન્યુઆરી 2023 ના રોજ ભારતીય નૌકાદળને આધુનિક ડીઝલ-ઇલેક્ટ્રિક એટેક સબમરીન INS વાગીર મળશે.
ભારતીય નૌકાદળની તાકાતમાં થશે વધારો
23 જાન્યુઆરીથી ભારતીય નૌકાદળને આધુનિક ડીઝલ-ઇલેક્ટ્રિક એટેક સબમરીન INS વાગીર મળશે.
ખતરનાક મિસાઈલ અને ટોર્પિડોથી સજ્જ હશે
ભારતીય નૌકાદળ વધુ સશક્ત બનશે. જેમાં સબમરીન INS વાગીર મળી રહી છે. જેનું પ્રોજેક્ટ P-75 હેઠળ નિર્માણ કરાયું છે. કલવારી ક્લાસની સબમરીન હેઠળ બનાવવામાં આવનાર આ પાંચમી સબમરીન છે. જેના જોડાવાથી ભારતીય નૌકાદળની તાકાતમાં વધશે. જેને લઈને દુશ્મનનો થરથર ધ્રુજશે કારણ કે આ ખતરનાક મિસાઈલ અને ટોર્પિડોથી સજ્જ હશે.
આઈએનએસ વાગીર દરિયાની અંદર બરૂદી સુરંગ બિછાવવામાં સક્ષમ છે. જેને 350 મીટરની ઊંડાઈએ સજ્જ કરી શકાય છે. વધુમાં તે સ્ટેલ્થ સુવિધાથી સજ્જ છે. જેના કારણે દુશ્મન તેને સરળતાથી શોધી શકશે નહીં. આ ઉપરાંત એન્ટી શિપ મિસાઈલ પણ લગાવવામાં આવી છે. જે એક સ્વદેશી સબમરીન છે. દુશ્મનને શોધીને ચોક્કસ નિશાન બનાવી શકતી આ સબમરીનની ખાસિયત એ છે કે દુશ્મનના રડારથી પકડમાં આવી શકશે નહિ!
INS વાગીરની વિશેષતા જાણો
આ સબમરીનમાં ઓક્સિજન બનાવવાની પણ તાકાત રહેલી છે જેના કારણે તે લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે. મજગાવ ડોક લિમિટેડ દ્વારા તેને બનાવવામાં આવી છે. 12 નવેમ્બર 2020 ના રોજ તેનું નિર્માણ શરૂ થયું હતું. જે 221 ફૂટ લાંબી છે અને તેનું બીમ 20 ફૂટ છે. ઊંચાઈ 40 ફૂટ અને ડ્રાફ્ટ 19 ફૂટ છે.
નેવલ ઓફિસર અને 35 સૈનિકો બેસી શકે છે
INS વાગીર સબમરીન ચાર MTU 12V 396 SE84 ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે. ત્યાં 360x બેટરી છે. ઉપરાંત ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવેલ PAFC ફ્યુઅલ સેલ પણ લગાવવામાં આવ્યો છે. જેના કારણે જ તે અવાજ વગર દુશ્મન પર તેજ ગતિએ વાર કરી શકે છે. તેમજ દરિયાના મોજા પર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તો બીજી બાજુ દરિયાની અંદર ડૂબકી મારતી વેળાએ તેની ઝડપ 37 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. દરિયામાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક કલાકમાં 12 હજાર કિલોમીટરની મુસાફરી કરી શકે છે. જ્યારે પાણીની અંદર તે 7.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 1020 કિલોમીટરની મુસાફરી કરવામાં સક્ષમ છે. INS વાગીર 50 દિવસ સુધી પાણીમાં રહી શકે છે. જેમાં તેમાં 8 નેવલ ઓફિસર અને 35 સૈનિકો બેસી શકે છે.
INS વાગીરના શસ્ત્રો
INS વાગીરમાં 6x533 mm ટોર્પિડો ટ્યુબ છે. જેમાં 18 SUT ટોર્પિડો તૈનાત કરી શકાય છે. આ સિવાય INS વાગીરમાં SM 39 Exocet એન્ટી શિપ મિસાઈલ લગાવી શકાય છે. આ મિસાઇલો સબમરીનની અંદરથી શાંતિપૂર્વક બહાર આવે છે અને સીધો દુશ્મન જહાજ અથવા યુદ્ધ જહાજ પર હુમલો કરે છે. તેમની ઝડપ 1148 કિલોમીટર પ્રતિ કલાક છે. INS વાગીર નામ ઇતિહાસ સાથે જોડાયેલ નામ છે. નવી INS વાગીર પહેલા, ભારત પાસે વર્ષ 1973માં આ જ નામની સબમરીન હતી. તેમણે વર્ષ 2001 સુધી ભારતીય નૌકાદળમાં કામ કર્યું હતું અને ખરા અર્થમાં તેનું નામ સેન્ડફિશની એક પ્રજાતિના નામ પરથી રાખવામાં આવ્યું છે.