મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ચંદ્રકાંત પાટિલ પર પુણેના પિંપરી ચિંચવાડમાં શાહીથી હુમલો કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ચંદ્રકાંત પાટિલ પર શાહીથી હુમલો
પુણેના પિંપરી ચિંચવાડમાં યુવાનોએ ફેંકી શાહી
પાર્ટી ઓફિસમાંથી બહાર આવી રહ્યાં હતા ત્યારે બની ઘટના
નેતાઓ પર શાહીથી હુમલા નવા નથી. વિરોધ દર્શાવવા માટે લોકો રાજકીય નેતાઓ પર શાહ ફેંકતા હોય છે જેની વધુ એક ઘટના બની છે. આ વખતે મહારાષ્ટ્રના ભાજપના કેબિનેટ મંત્રી ચંદ્રકાંત પાટિલને શાહી હુમલાનો ભોગ બનવાનો વારો આવ્યો છે. પિંપરી ચિંચવાડ વિસ્તારમાં પાર્ટીની મીટિંગ પતાવીને બહાર આવી રહેલા પાટીલ પર કેટલાય યુવાનોએ શાહી ફેંકી હતી જેને પરિણામે તેમનો ચહેરો કાળો ધબ્બો પડી ગયો હતો. શાહી હુમલો થતા ઘડીવાર તો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આરોપીઓએ મંત્રી પાટિલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. મંત્રી પર શાહી ફેંકનાર વ્યક્તિને પોલીસે તરત જ પકડી લીધો હતો. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.
Three unidentified people threw ink at BJP leader and Maharashtra Higher and Technical Education Minister Chandrakant Patil on Saturday evening when he was stepping out of a party leader's home in Pimpri-Chinchwad.
Watch: pic.twitter.com/tuCPL1z6bu
પાટીલના નિવેદનથી રોષે ભરાયા લોકો
શુક્રવારે ચંદ્રકાંત પાટીલે ઔરંગાબાદ શહેરમાં મહાત્મા ફુલે, ડૉ.ભીમરાવ આંબેડકર અને કર્મવીર ભાઉરાવ પાટિલ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેનો વિરોધ શરૂ થયો હતો. ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે આજકાલ લોકો શિક્ષણ માટે ગ્રાન્ટ પર આધાર રાખે છે, પહેલા લોકો જાતે જ પૈસાની વ્યવસ્થા કરતા હતા. તેમના શબ્દો ખોટા હોઈ શકે છે, પરંતુ ઇરાદાઓ નહીં.
ઘરમાં ઘૂસીને જવાબ આપીશું- ભાજપ નેતા રામ કદમની ધમકી
આ ઘટના પર ભાજપના નેતા રામ કદમે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે કેબિનેટ મંત્રી ચંદ્રકાંત પાટીલ પર શાહી ફેંકવાની ઘટનાને બિલકુલ સહન કરવામાં આવશે નહીં. તેણે કહ્યું કે, તે આવી ઘટનાનો જવાબ ઘરમાં ઘૂસીને આપશે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે.