BCCI 15 સપ્ટેમ્બરના રોજ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન કરી શકે છે. હાલ ચિંતાનો મુદ્દો છે ભારતીય ટીમના ઇજાગ્રસ્ત બોલર.ટીમ ઈન્ડિયા ઈજાગ્રસ્ત ખેલાડીઓના આધારે વર્લ્ડ કપ કેવી રીતે જીતી શકશે?
એશિયા કપ 2022માં ભારતીય ટીમની સફર સમાપ્ત થઈ ગયો છે. ગઈકાલે રમાયેલી મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવ્યું હતું અને પાકિસ્તાનની જીત સાથે ભારત અને અફઘાનિસ્તાન બંને ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયા હતા. એશિયા કપમાં નિરાશાજનક પ્રદશન બતાવ્યા પછી હવે ટીમ ઈન્ડિયાનું મુખ્ય લક્ષ્ય T20 વર્લ્ડ કપમાં સારું પ્રદશન કરવાનું છે.
BCCI 15 સપ્ટેમ્બરના રોજ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન કરી શકે છે. હાલ ચિંતાનો મુદ્દો છે ભારતીય ટીમના ઇજાગ્રસ્ત બોલર. કુલ પાંચ મુખ્ય બોલરો ઇજાગ્રસ્ત છે. આવી સ્થિતિમાં એક પ્રશ્ન ઉભો થાય છે કે ટીમ ઈન્ડિયા ઈજાગ્રસ્ત ખેલાડીઓના આધારે વર્લ્ડ કપ કેવી રીતે જીતી શકશે? કોણ કોણ ઇજાગ્રસ્ત છે ચાલો જાણીએ..
જસપ્રીત બૂમરાહ -
જેને ભારતીય બોલિંગ યુનિટની જાન કહેવાતા જસપ્રિત બુમરાહને પીઠની ઈજા થઈ છે અને આ ઈજાના કારણે તેને એશિયા કપમાંથી પણ બહાર થવું પડ્યું હતું. બુમરાહ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાં પણ બહાર રહે એવી સંભાવના છે.
હર્ષલ પટેલ -
પાંસળીની ઈજાના કારણે હર્ષલ પટેલને એશિયા કપમાંથી બહાર થવું પડ્યું હતું. હર્ષલ પટેલ ઓસ્ટ્રેલિયા સામે આ મહિને રમાનારી T20 સીરિઝ દરમિયાન મેદાનમાં પરત ફરે તેવી આશા છે.
રવીન્દ્ર જાડેજા
સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઈજાના કારણે ચાલી રહેલા એશિયા કપમાંથી અધવચ્ચે જ બહાર જવું પડ્યું હતું. જાડેજાને જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેનું હવે ઓપરેશન કરવામાં આવ્યું છે. સર્જરી બાદ રવિન્દ્ર જાડેજાને ટી-20 વર્લ્ડ કપ 2022માં રમવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે.
અવેશ ખાન
અવેશ ખાનને તાવ આવવાને કારણે એશિયા કપની બાકીની મેચોમાંથી બહાર થવું પડ્યું હતું. તેના સ્થાને ફાસ્ટ બોલર દીપક ચહરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અવેશની તબિયત પણ ભારતીય ટીમ માટે ચિંતાનું કારણ બની શકે છે.
Another close match in Dubai and it is Sri Lanka who win by 6 wickets.
પ્રસિધ્ધ કૃષ્ણા
પ્રસિધ્ધ કૃષ્ણા ન્યુઝીલેન્ડ-A સામેની સીરીઝ માટે પ્રસિધ્ધ કૃષ્ણાને ઈન્ડિયા-A ટીમમાં જગ્યા મળી હતી પણ પીઠની ઈજાને કારણે ક્રિષ્નાને આ સીરીઝમાંથી બહાર જવું પડ્યું હતું. હવે કૃષ્ણાના બહાર થયા બાદ ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ઈન્ડિયા-એ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.