દાન-પુણ્યના પર્વ મકરસક્રાંતિએ અબાલવૃદ્ધ સૌ પતંગ ચગાવવાતાં હોય છે. આ પતંગની ધારદાર દોરીથી સેંકડો પક્ષીઓની જીવાદોરી કપાઇ જાય છે. ત્યારે પતંગની દોરીથી ઘાયલ થયેલાં પક્ષીઓને બચાવવા માટે રાજ્યના કેટલાક નગરની પક્ષીપ્રેમી સંસ્થાઓએ ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા કંટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર શરૂ કર્યા છે.
ઉત્તરાયણ પર્વ નજીક આવી ચૂક્યો છે ત્યારે અત્યારથી જ પતંગ આકાશમાં ઉડવા લાગ્યા છે. ત્યારે પતંગની ધારદોરીથી પક્ષીઓની પાંખ કપાવાના બનાવો પણ સામે આવી રહ્યાં છે. જેને લઇને આ ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર થઇ શકે તે માટે બર્ડ હેલ્પલાઇન નંબર શરૂ કરાયા છે.
જેમાં પક્ષી અને પ્રકૃતિ પ્રેમીઓ ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, નવસારી, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, ડિસા સહિતના નગરની સેવાભાવી સંસ્થાઓ પણ કામે લાગી છે. તો માનવ જીવ પતંગની કાતિલ દોરથી ન કપાય તે માટે અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ હેલ્પલાઇન સેવા શરૂ કરાઇ છે. હેલ્પલાઇન નંબર 1962 પર કોલ કરીને તમે ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર માટે ફોન કરી શકો છો.