ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ઈજાના કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. બંને ટીમો વચ્ચે વનડે સિરીઝ રવિવારથી ચેન્નઇમાં શરૂ થશે.
ભારત વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે 3 મેચની વનડે સિરીઝ
ભુવનેશ્વર કુમાર ઈજાના કારણે થયો મેચમાંથી બહાર
વેસ્ટ ઈન્ડિઝની મેચ રમતી સમયે થયો હતો ઈજાગ્રસ્ત
ઈજાને કારણે મેચમાંથી બહાર થયો ભુવનેશ્વર
ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે. ભુવનેશ્વર કુમાર છેલ્લે રમાયેલી ટી -20 શ્રેણી દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ સાથે રમતાં ઈજાગ્રસ્ત થયો હતો. હવે શાર્દુલ ઠાકુરને ભુવનેશ્વરની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. ટી -20 શ્રેણી દરમિયાન ભુવનેશ્વર કુમારની ગ્રોઇન ઈજા ફરી એકવાર સામે આવી છે, તેથી જ તેને વનડે શ્રેણીમાંથી બહાર રહેવું પડ્યું છે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી ટી -20 સિરીઝ 2-1થી જીતી લીધી છે.
પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેની પ્રતિક્રિયા
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેનું માનવું છે કે વિન્ડિઝ સામેની વનડે સિરીઝમાં ભારતીય બોલરોએ પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ આપવો પડશે, કારણ કે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં ઘણા સારા પાવર હિટર્સ છે જે કોઈપણ આક્રમણ લાઇનને હરાવી શકે છે. બંને ટીમો વચ્ચે વનડે સિરીઝ રવિવારથી ચેન્નઇમાં શરૂ થશે.
કુંબલેએ કહ્યું કે, 'હું ઈચ્છું છું કે અમારા બોલરો સારું કરે કારણ કે કેરેબિયન ટીમ સામે પડકારો ઓછા નથી. આ ટીમમાં ફટકા મારનારા બેટ્સમેન છે અને તે ભારતીય બોલરો પર પ્રભુત્વ મેળવી શકે છે. આવી સ્થિતિમાં હું ઈચ્છું છું કે અમારા બોલરો સાવચેતીપૂર્વક શરૂઆત કરે. કુંબલેએ એમ પણ કહ્યું હતું કે ભારતીય ટીમે શ્રેયસ ઐય્યર પર માત્ર નંબર -4 પર વિશ્વાસ કરવો જોઈએ. કુંબલેએ કહ્યું, 'અમે શ્રેયસની અંદરની ગુણવત્તા જોઇ છે અને તે પણ જોયું છે કે તે બેટ્સમેન તરીકે ઘણી આગળ નીકળી ગયો છે. આવી સ્થિતિમાં તેમને નંબર -4 પર તક મળવી જોઈએ.